Webdunia - Bharat's app for daily news and videos

Install App

અંબાજીમાં વીઆઇપી દર્શન બંધ

Webdunia
ગુરુવાર, 19 નવેમ્બર 2015 (16:33 IST)
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં નવા વર્ષથી વીઆઇપીઓની દર્શન વ્યવસ્થા બંધ કરવામાં આવી છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓની આસ્થાની લાગણીને મહત્ત્વ આપી આ નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા અનેક વર્ષથી પ્રાચીન પરંપરા મુજબ અંબાજી મંદિરના ગર્ભગૃહમાં પૂજારી અને બ્રાહ્મણોને જ પ્રવેશ કરવાની અનુમતી હતી, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષથી મંદિરના ગર્ભગૃહમાં વીઆઇપી માણસો અને ઉચ્ચ લોકો દર્શન કરવા માટે જતા હતાં. સામાન્ય માણસો કલાકો સુધી લાઇનમાં ઊભા રહી મા અંબાના દર્શન કરતા જયારે વીઆઇપીને અન્ય દ્વારથી સીધો ગર્ભગૃહમાં પ્રવેશ અપાતા અનેક સવાલો ઊભા થયા હતા. જેને લઇ આ વર્ષથી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓની આસ્થા અને લાગણીને ધ્યાનમાં રાખી વીઆઇપી દર્શનની વ્યવસ્થા બંધ કરાઇ છે. પૂજારી અને બ્રાહ્મણો સિવાય કોઇ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી શકશે નહીં. હવેથી વીઆઇપીએ પણ સામાન્ય માણસો-દર્શનાર્થીઓની જેમ બહારથી દર્શન કરવાના રહેશે. માતાજીના દરબારમાં વીઆઇપી અને સામાન્ય લોકોમાં રોષ ફેલાયો હતો. જોકે હવેથી મંદિરમાં આ વીઆઇપી દર્શન વ્યવસ્થા બંધ કરી દેવામાં આવતા માઇભકતોમાં આનંદની લાગણી ફેલાઇ હતી.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments