Webdunia - Bharat's app for daily news and videos

Install App

અંબાજીમાં 10મી સપ્ટેમ્બરે યોજાશે ભાદરવી પૂનમનો મેળો

Webdunia
મંગળવાર, 23 ઑગસ્ટ 2016 (17:17 IST)
યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 10 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર સુધી સાત દિવસનો ભાદરવી પુનમનો મહામેળો ભરાવનાર છે. ત્યારે અંબાજી આવતાં હજાર જેટલાં સંઘોમાં લાખોની સંખ્યામાં પગપાળાં યાત્રીકો અંબાજી આવશે. આ પદયાત્રીઓ માટે વહીવટીતંત્ર સાથે સુમેળભર્યુ વાતાવરણ બનેલું રહે અને સાથે જ યાત્રીકોને પુરતી સગવડ મળી રહે તે માટે ભાદરવી પુનમીયા સંઘ મહામંડળ અને બનાસકાંઠા જીલ્લા વહીવટીતંત્ર અને જીલ્લા કલેકટર સાથે એક બેઠક અંબાજી ખાતે યોજવામાં આવી હતી.

જેમાં મોટી સંખ્યામાં પગપાળાં સંઘોનાં મુખ્ય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહીને ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે પોલીસ વિભાગ દ્વારા યાત્રીકોને પોલીસ મિત્ર બની સહકાર આપવાં અનુરોધ કરાયો હતો. જોકે મહામંડળનાં મહામંત્રી યોગેશ પટેલે જણાવ્યું હતુ કે ભાદરવી મેળા દરમિયાન અંબાજીની ધર્મશાળાઓમાં લેવાતાં બેફામ ભાડાં અને મેળામાં જ્યારે 30 લાખ જેટલી મેદની ઉમટી પડતી હોય છે. ત્યારે વેપારીઓ એક્સપાયર ડેટની વસ્તુઓનું વેંચાણ કરતાં હોય અને ખાણીપીણીમાં પણ હલકી ગુણવત્તા વાળા આહાર વેંચતાં હોય છે. જે બાબતે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યુ હતુ. ત્યારે કલેકટર જેનું દેવએ આ બાબતે પુરી તકેદારી રાખવાની ખાતરી આપી હતી.

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments