Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોમનાથમાં 108 કીલો સોનાનું દાન

Webdunia
ગુરુવાર, 12 મે 2016 (15:05 IST)
પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ ને 108 કિલો સોનું અર્પણ કરવાનો સંકલ્પ મુંબઇ નાં વેપારી દિલીપભાઈ લખી એ ત્રણ વર્ષ પહેલા કર્યો હતો અને બે વર્ષ પહેલા તેઓએ 60 કિલો સોનું દાન કર્યું હતું જેમાંથી ત્રિશુલ ધ્વજાદંડ, ડમરું, ગર્ભ ગૃહ , છતર , નાગ સહીત નાં ભાગો ને સુવર્ણ જડિત કર્યા હતા. હવે 40 કિલો સોનું વધારે દાન કરતા ગર્ભગૃહનાં દરવાજા અને ગર્ભગૃહનો અમુક ભાગ સુવર્ણ જડિત કરાયો છે.

મંદિરને મળેલા 100 કિલો એટલે કે આશરે 30 કરોડ રૂપિયાની કિંમતનાં સોનામાંથી 60 કિલો સોનું બે વર્ષ પહેલા મંદિરનાં અલગ અલગ ભાગોમાં લગાવ્યું હતું. જ્યારે 40 કિલો સોનામાંથી મંદિરનો ગર્ભગૃહનો ઉપરનો ભાગ અને દરવાજા સહીતનાં ભાગોને સુવર્ણ જડિત કરવાનું કામ છેલા બે દિવસથી ચાલી રહ્યું હતું. કામ પૂર્ણ થતાં સોમનાથ મહાદેવ મંદિરનું ગર્ભગૃહ અને દરવાજા તમામ વસ્તુ સુવર્ણ જડિત બની ગયું છે. મંદિરને ખુલ્લુ મુકાતા શ્રધાળુઓ વહેલી સવારથી સોમનાથ મહાદેવ મંદિરનાં ગર્ભગૃહનાં અલગ રૂપનાં દર્શન કરી રહ્યા છે. ધીમે ધીમે સોમનાથ મંદિર સોનાનું બની રહ્યું છે. જેના કારણે શિવ ભક્તો માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. – પી.કે.લહેરી ( ટ્રસ્ટી-સેક્રટરી, સોમનાથ ટ્રસ્ટ અને રાજ્યપાલ)

એક ટન સોનાની જેટલી કીંમત થાય તેટલુ દાન કરવું જેમાં પછાત ગામોનો વિકાસ કરવા અને શાળા કોલેજમાં આ રકમ અનુદાન કરશે. આ માટે તાજેતરમાં જ તેઓ ની પ્રઘાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાથે વાતચીત થયા મુજબ નરેન્દ્રભાઇ મોદી, રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને મનોહર પરીકરનો જેટલો વજન થાય તેટલું સોનુ અનુદાન કરવું અને તે સોનાની જે બજાર કિંમત થાય તે રકમ એક ટ્રસ્ટની રચના કરી તેમા જમા કરાવવા અને તેના વ્યાજ માંથી માનવ ઉત્કર્ષ ના કાર્યો કરવા માં આવશે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments