Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં ગણપતિબાપાનો શાહી ઠાઠ, સવા લાખ હીરાનો શણગાર

Webdunia
ગુરુવાર, 15 સપ્ટેમ્બર 2016 (09:59 IST)
દેશમાં ગણપતિ બાપાની ભાવભક્તિ સાથે અર્ચના થઈ રહી છે. ત્યારે ગુજરાતમાં સુરતના વરાછામાં વર્ણીરાજ સોસાયટીમાં ગણપતિ બાપ્પાનું શાહી સ્થાપન કરવામાં આવ્યું છે. અહીં લગભગ 1 લાખ 11 હજાર 111 હીરાથી ગણપતિબાપાની મૂર્તિનો શણગાર કરાયો છે. આયોજકોએ આ અંગે કહ્યું હતું કે ગણપતિ બાપાની માટીની પ્રતિમા ઉપર સૂંઢ, બાજુબંધ, હાર, કાન પર રજવાડી કૂંડળ, સહિતના શણગારમાં સવા લાખ જેટલા ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય ઓરીજનલ મોતીના લાડુ બનાવવામાં આવ્યાં છે. મૂર્તિને શણગારવા માટે સોસાયટીમાં જ ડ્રેસિંગ રૂમ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં સોસાયટીની મહિલાઓએ  શણગાર    કર્યો હતો.  સ્થાનિકોએ જણાવ્યું હતું કે દસ દિવસ સુધી અહીં બે ટાઈમ આરતી કરવામાં આવે છે.  સોસાયટીમાં આઠ એપાર્ટમેન્ટ છે.   10 દિવસ સુધી બાપ્પાના સ્થાપન પાસે જ બેટી બચાઓ બેટી પઢાઓના સંદેશો, સત્યનારાયણ ભગવાનની કથા, રક્તદાન- અંગ દાન અંગેની જાગૃતિ લોકોમાં ફેલાવવામાં આવી રહી છે.
 

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments