Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાબરમતી રિવરફ્રન્ટમાં રિવર ક્રૂઝ શરૂ થશે

Webdunia
મંગળવાર, 18 નવેમ્બર 2014 (14:51 IST)
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સાબરમતી રિવરફ્રન્ટમાં હવે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન વધુ એક આકર્ષણ મૂકવા જઈ રહ્યું છે. સાબરમતીમાં ક્રૂઝનું નવું નજરાણું ટૂંક સમયમાં મૂકવામાં આવશે. સહેલાણીઓ ક્રૂઝમાં બેસીને માત્ર હરીફરીને આનંદ માંણી શકશે એટલું જ નહીં, પરંતુ લંચ–ડિનર પણ કરી શકશે.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસને કહ્યું કે સાબરમતી રિવરફ્રન્ટમાં આગામી ૧૦ મહિના બાદ રિવર ક્રૂઝ શરૂ થશે. ક્રૂઝ માટે ટેન્ડરિંગ કરવામાં આવ્યું છે અને ગોવાની પાર્ટીને કામ આપ્યું છે. ક્રૂઝમાં સહેલાણીઓ અંદર જઈ શકશે. આ ક્રૂઝ બેથી ચાર કિલોમીટર ફરશે, એમાં બેસીને સહેલાણીઓ આનંદ માણી શકશે. ઉપરાંત એમાં બેસીને સહેલાણીઓ લંચ–ડિનર પણ લઈ શકશે. ક્રૂઝમાં બર્થ–ડે પાર્ટી અને એના જેવી પાર્ટી પણ કરી શકાશે.

સાબરમતીમાં ક્રૂઝ લંચ સમયથી શરૂ થશે અને એ પાલડી–જમાલપુર વચ્ચે બનેલા સરદાર પટેલ બ્રિજ પાસે સાબરમતી રિવરફ્રન્ટના કિનારે પાર્ક થશે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments