Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરકાર જ્યાંથી બેઠી છે તેવા ગાંધીનગરમાં જ 15 હજાર લોકો જાહેરમાં શૌચક્રિયા કરે છે

Webdunia
મંગળવાર, 9 જૂન 2015 (17:52 IST)
ગુજરાતની ભાજપ સરકારે સ્વચ્છતા અભિયાન આદરીને ઘેર ઘેર શૌચાલયના નારા આપી રહી છે ત્યારે પાટનગર ગાંધીનગરમાં જાહેર શૌચાલયોનો અભાવ છે અને ૧૫૦૦૦ લોકો જાહેરમાં શૌચક્રિયા માટે જતાં હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પાટનગર ગાંધીનગરમાં ઝૂંપડપટ્ટી અને ખુલ્લામાં વસવાટ કરતા લોકો જાહેર શૌચાલયોના અભાવે જાહેરમાં કુદરતી હાજતે જઈ રહ્યા છે અને અંદાજે ૧૫૦૦૦ જેટલા લોકો ખુલ્લામાં શૌચક્રિયા માટે જતા હોવાનું કહેવાય છે ત્યારે આવા લોકો માટે જાહેર શૌચાલયો બનાવવા જોઈએ. પાટનગરમાં પે એન્ડ યુઝ શૌચાલયો બનાવવામાં આવ્યા છે પરંતુ આ શૌચાલયો જાળવણીના અભાવે જર્જરિત બની ગયા છે. પાટનગરમાં માત્ર પાંચ જેટલા જાહેર શૌચાલયોનું નિર્માણ કરાયું હતું જે વર્ષ ૨૦૦૬માં બનાવવામાં આવ્યા હતા પરંતુ જાહેર શૌચાલયો બનાવવાનો પ્રોજેક્ટ પણ બંધ કરી દેવાયો છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, પાટનગર ગાંધીનગરના સ્થાનિક ઝૂંપડપટ્ટીના રહીશોએ જિલ્લા કલેક્ટરને જાહેર શૌચાલયો બનાવવા રજૂઆત કરી હતી અને અમદાવાદમાં જાહેર શૌચાલયોમાં શૌચક્રિયા માટે જતા વ્યક્તિને એક રૂપિયો આપવામાં આવે છે. એક રૂપિયાના કારણે લોકો ખુલ્લામાં જવાને બદલે જાહેર શૌચાલયોનો ઉપયોગ કરવા લાગ્યા છે. આથી અમદાવાદની જેમ ગાંધીનગરમાં પણ આવી યોજના શરૂ કરીને પ્રોત્સાહન આપવાની માગ પણ ઊઠી છે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

Show comments