Webdunia - Bharat's app for daily news and videos

Install App

સંખેડાની મહિલાએ પાંચ બાળકોને જન્મ આપ્યો, ત્રણ બાળકો મૃત જાહેર કરાયા

Webdunia
સોમવાર, 22 ઑગસ્ટ 2016 (13:04 IST)
છોટાઉદેપુર જીલ્લાના સંખેડા તાલુકાના એક ગામની મહિલાએ એક સાથે પાંચ બાળકોને નોર્મલ ડિલિવરીથી જન્મ આપ્યો હોવાની ઘટના બની હતી. લગભગ બે કલાકને ચાલીસ મિનિટ સુધી ચાલેલી આ પ્રક્રિયા બાદ ત્રણ બાળકો મૃત હોવાથી માતા અને અન્ય બે બાળકોને વધુ સારસંભાળ માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. સયાજી હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર સંખેડા તાલુકાના બહાદરપુર ગામની મહિલા સવિતાબેન દેવાજી વણઝારા નામની મહિલાને પ્રસૃતિની પીડા ઉપડતા સંખેડા રેફરલ હોસ્પીટલમાં ખસેડ઼વામાં આવી હતી.  જ્યાં મહિલાની પ્રસૃતિ માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. રવિવારે બપોરે ૨.૩૫ વાગે પહેલી પ્રસૃતિ થઇ હતી, જ્યારે છેલ્લી પ્રસૃતિ ૫.૧૫ વાગે થઇ હતી.   મહિલાએ નોર્મલ ડિલીવરીમાં જ કુલ પાંચ બાળકો જન્મ આપ્યો હતો. જેમાં ચાર દીકરીઓ અને એક દીકરાનો જન્મ થયો હતો. સાતમા મહિને જ થયેલ આ પ્રસૃતિમાં ત્રણ બાળકો તો મૃત હાલતમાં જન્મ્યા હતા. જેમાં એક દીકરો અને બે દીકરીઓને સમાવેશ થાય છે. આ ઘટનાના પગલે આખરે ડિલિવરી કરના મહિલા તથા તેની બે દીકરીઓની વધુ સારી રીતે સાર સંભાળ અને સારવાર કરવા માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

આગળનો લેખ
Show comments