Webdunia - Bharat's app for daily news and videos

Install App

સંખેડાની મહિલાએ પાંચ બાળકોને જન્મ આપ્યો, ત્રણ બાળકો મૃત જાહેર કરાયા

સંખેડાની મહિલાએ પાંચ બાળકોને જન્મ આપ્યો  ત્રણ બાળકો મૃત જાહેર કરાયા
Webdunia
સોમવાર, 22 ઑગસ્ટ 2016 (13:04 IST)
છોટાઉદેપુર જીલ્લાના સંખેડા તાલુકાના એક ગામની મહિલાએ એક સાથે પાંચ બાળકોને નોર્મલ ડિલિવરીથી જન્મ આપ્યો હોવાની ઘટના બની હતી. લગભગ બે કલાકને ચાલીસ મિનિટ સુધી ચાલેલી આ પ્રક્રિયા બાદ ત્રણ બાળકો મૃત હોવાથી માતા અને અન્ય બે બાળકોને વધુ સારસંભાળ માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. સયાજી હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર સંખેડા તાલુકાના બહાદરપુર ગામની મહિલા સવિતાબેન દેવાજી વણઝારા નામની મહિલાને પ્રસૃતિની પીડા ઉપડતા સંખેડા રેફરલ હોસ્પીટલમાં ખસેડ઼વામાં આવી હતી.  જ્યાં મહિલાની પ્રસૃતિ માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. રવિવારે બપોરે ૨.૩૫ વાગે પહેલી પ્રસૃતિ થઇ હતી, જ્યારે છેલ્લી પ્રસૃતિ ૫.૧૫ વાગે થઇ હતી.   મહિલાએ નોર્મલ ડિલીવરીમાં જ કુલ પાંચ બાળકો જન્મ આપ્યો હતો. જેમાં ચાર દીકરીઓ અને એક દીકરાનો જન્મ થયો હતો. સાતમા મહિને જ થયેલ આ પ્રસૃતિમાં ત્રણ બાળકો તો મૃત હાલતમાં જન્મ્યા હતા. જેમાં એક દીકરો અને બે દીકરીઓને સમાવેશ થાય છે. આ ઘટનાના પગલે આખરે ડિલિવરી કરના મહિલા તથા તેની બે દીકરીઓની વધુ સારી રીતે સાર સંભાળ અને સારવાર કરવા માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
વધુ જુઓ..

જરૂર વાંચો

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

ગુજરાતી જોક્સ - વીમા કંપની

ગુજરાતી જોક્સ - પત્ની કૂવામાં

ગુજરાતી જોક્સ - કેળાની છાલ

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

વધુ જુઓ..

નવીનતમ

Pomegranate Peel Chutney- દાડમની છાલની ચટણી

Pomegranate Peel Uses: દાડમની છાલ ફેંકશો નહી આ રીતે વાપરો

મટન વિન્ડાલૂ સાથે સ્વાગત કરો, તેને આ રીતે તૈયાર કરો

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

અકબર બિરબલની વાર્તા- જે થાય છે તે સારા માટે થાય છે."

આગળનો લેખ
Show comments