Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડનગર માર્કેટ યાર્ડની જગ્યા શ્રાપિત, વેપારીઓ બરબાદ થઈ જાય છે

Webdunia
શનિવાર, 30 ઑગસ્ટ 2014 (12:52 IST)
જિલ્લાનું વડનગર શહેર ઐતિહાસિક વિરાસત સમાન છે. એક જમાનામાં વડનગર વેપાર-વણજથી ધમધમતું હતું અને ગામડાના લોકો હટાણું કરવા વડનગરની મુલાકાતે આવતા હતા. ત્યારબાદ સાંપ્રત સમયમાં પણ વડનગરનું માર્કેટ યાર્ડ ધમધમતું હતું પણ વેપારીઓમાં એવી માન્યતા ઘર કરી ગઈ કે છે કે માર્કેટ યાર્ડની જગ્યા શ્રાપિત છે અને વેપારીઓ બરબાદ થઈ જાય છે. આ માન્યતાને કારણે માર્કેટ યાર્ડમાં વેપાર પડી ભાંગવા લાગ્યો વેપારીઓ પોતાનો કારોબાર સમેટવા લાગતા માર્કેટયાર્ડ સાવ પડી ભાંગ્યું છે.

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન એવા વડનગર શહેરનું એક સમયે ધમધમતું માર્કેટ યાર્ડ હાલ ભેંકાર ભાસી રહ્યું છે. આ સ્થિતિ સર્જવાનું કારણ વહેમનું ચક્કર છે વેપારીઓ અને ખેડૂતો એવું માની રહ્યા છે કે માર્કેટ યાર્ડની જગ્યા શ્રાપિત છે અને આ જગ્યા પર જે કોઈ આવે તે બરબાદ થઈ જાય છે. આ માન્યતાના કારણે એક પછી એક વેપારીઓ તેમનો વેપાર-વણજનો કારોબાર સંકેલવા લાગ્યા. વહેમની કોઈ દવા નથી હોતી. ‘કાગનું બેસવું અને ડાળનું ભાંગવું’ એવો ઘાટ સર્જાયો. માર્કેટ યાર્ડમાં વેપાર કરતા વેપારીઓને કોઈ કારણસર નુકસાન થવા લાગ્યું. ઘણા વેપારીઓ બરબાદ થઈ જતાં માર્કેટયાર્ડની જગ્યા શ્રાપિત હોવાની વાત વહેતી થઈ. એટલે બાકીના વેપારીઓ પણ ડરના માર્યા પોતાના વેપાર-વણજને સંકેલવા લાગ્યા. જોકે શહેરના કેટલાક અગ્રણીઓએ એવું જણાવ્યું હતું કે માર્કેટ યાર્ડની જગ્યા રોડથી ખૂબ દૂર હોવાથી ખેડૂતોને અહીં સુધી આવવું પોસાતું નથી પણ માર્કેટ યાર્ડ તો વર્ષોથી આ જ જગ્યા પર કાર્યરત હતું અને વેપાર-વણજથી ધમધમતું હતું. ખેડૂતો પોતાનો માલ વેચવા માટે દૂર-દૂરથી આવતા હતા.



વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

Show comments