Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજયપાલે મહોર મારી 'ગુજકોટોક' વિધેયક આગળ જવા દીધુ

Webdunia
શુક્રવાર, 24 એપ્રિલ 2015 (16:20 IST)
રાજય સરકારે આતંકવાદ જેવા ગંભીર ગુનાઓ સામે આકરા પગલા લેવા 'ગુજકોક'  જેવા તાજેતરમાં બજેટસત્રના છેલ્લા દિવસે ગુજરાત આતંકવાદી કૃત્ય અને સંગઠિત ગુના નિયંત્રણ  વિધેયક ૨૦૧૫ને પસાર કર્યું હતું. ગુજકોટોક તરીકે ઓળખાતા આ વિધેયક પર રાજયપાલ ઓ.પી. કોહલીએ મંજૂરીની મહોર મારી દીધી છે. જેના કારણે કાયદાકીય દ્રષ્ટિએ 'ગુજકોટોક'નો પ્રથમ તબક્કો પાર થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉના રાજયપાલ કમલા બેનીવાલએ ગુજકોકના વિધેયકને ફગાવી દીધો હતો.

સચિવાલયના સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના છેલ્લા દિવસે રાજય સરકારે 'ગુજકોક' જેવા વિધેયકને લીલીઝંડી આપી હતી. અગાઉ ગુજકોક વિધેયકને તત્કાલીન રાજયપાલ કમલા બેનિવાલની સ્વીકૃતિ મેળવવા, રાજય સરકારે ખાસ્સા પ્રયાસ કર્યા હતાં. ત્રણ-ત્રણ વખત ગુજકોક વિધેયકને ગૃહમાં બહાલી અપાઈને તેને તત્કાલીન રાજયપાલ કમલા બેનીવાલની

લીલીઝંડી મેળવવા મોકલ્યા હતા, પરંતુ તત્કાલીન રાજયપાલે એકપણ વાર ગુજકોકને સંમતિ ન આપીને કેન્દ્ર સરકાર મારફતે રાષ્ટ્રપતિને મોકલ્યું હતું. જે તે વખતે આ બાબત ભારે વિવાદાસ્પદ બની હતી. પરંતુ હવે નવા રાજયપાલ ઓ.પી. કોહલીએ ગુજકોટોક વિધેયકને મંજૂરી આપી દીધી છે. રાજયપાલ તરફથી નવા વિધેયકને મંજૂરી તો અપાઈ ગઈ છે. પરંતુ તેમાં પોલીસને તાર, ટપાલ, ફોન આંતરવાની કે રેકર્ડ કરવા જેવી સત્તા અપાઈ છે. આ પ્રકારની સત્તાથી નાગરિકના મૂળભૂત અધિકારનો ભંગ થાય છે કે કેમ જેવી બાબત કેન્દ્ર સરકારનો વિષય હોઈ રાજય પાસે આ બાબતે કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો અભિપ્રાય માંગ્યો છે. હવે કેન્દ્ર સરકારના વલણ પર નવા કાયદાની

અમલવારી શખ્ત બનશે. કેન્દ્રીય ગૃહમંત્રાલય ઈચ્છશે તો પોતાની રીતે 'ગુજકોટોક'નો અભ્યાસ કરીને  તેને મંજૂરી આપીને સીધેસીધો રાજય સરકારને પરત મોકલશે. એટલે કે રાષ્ટ્રપતિ સમક્ષ આ નવું વિધેયક મુકાશે નહી.

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

Show comments