Webdunia - Bharat's app for daily news and videos

Install App

મેગાસિટી અમદાવાદમાં પાંચ લાખથી વધુ લોકો ૧.૭૫ લાખ ઝૂંપડાઓમાં જીવન ગુજારી રહ્યા છે

Webdunia
બુધવાર, 16 એપ્રિલ 2014 (12:19 IST)
રાજયના અતિવિકસિત ગણાતા અમદાવાદમાં ગરીબોને પૂરતા પ્રમાણમાં સરકારી આવાસ પૂરા પાડવામાં આવ્યા હોવાના દાવાઓ વચ્ચે હજુ પણ મેગાસિટીમાં અંદાજે પાંચ લાખથી વધુ લોકો ૧.૭૫ લાખ ઝૂંપડાઓમાં જીવન ગુજારી રહ્યા છે. હજુ પણ આ ઝૂંપડપટ્ટીવાસીઓને જુદી જુદી યોજનાઓથી સરકારી ઘર મળ્યું નથી. રાજ્યનું સૌથી મોટું મહાનગર હજુ સ્લમ ફ્રી થયું નથી. શહેર પાસે લાખો ચોરસ વાર જમીન છે પણ આયોજન અને અમલીકરણની ફાઇલોમાં અટવાઇ છે.
 
અમદાવાદ શહેરને ગુજરાતમાં મેગાસિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. વિશ્વમાં સૌથી ઝડપી વિકસતા શહેરમાં અમદાવાદનો ત્રીજો નંબર છે. શહેરની મધ્યમાં આવેલા ધંધા રોજગારના સ્થળોએ ખુલ્લી જગ્યા જ નથી બચી. અહીં વેપાર કરતા લોકો પોતાના ધંધો કે રોજગાર હોય તે જ જગ્યાએ રહેવાનું પસંદ કરે છે. જુના શહેરમાં ઠેર ઠેર મોન્યુમેન્ટ આવેલ છે અને નવા નવા જી ડી સી આર મુજબ નાના રસ્તાઓને કારણે મકાનોની ઊંચાઈ અમુક હદ સુધી સીમિત થતા વિકાસ અટકી ગયો છે. ગુજરાત સરકાર શહેરી વિસ્તારોને સ્લમ્સ ફ્રી બનાવવા માટે ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતાં ગરીબ વર્ગના લોકોને સુવિધાયુકત સ્વચ્છ
 
વાતાવરણમાં રહેવા માટે પાકું મકાન મળે તે માટે યોજના જાહેર કરી હતી. શહેરમાંથી ઝૂંપડપટ્ટીની નાબૂદી એ આ યોજનાનો મુખ્ય આશય હતો. અમદાવાદમાં હાલ શહેરી ગરીબો ગણીએ તો ૫૦૫ જગ્યાએ ઝૂંપડપટ્ટીઓ આવેલી છે. શહેરમાં સ્લમ્સ વિસ્તારમાં રહેનારાઓની સંખ્યા આશરે ૧,૭૫,૦૦૦ છે. આ તમામ લોકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે. જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન રીન્યુઅલ મિશન (જે.એન.એન. યુ. આર.એમ.) અંતગર્ત શહેરી ગરીબ આવાસ યોજનામાં ૧૮૯૭૬ આવાસોને મંજૂરી આપવામાં આવી હતી. શહેરને સ્લમ્સ ફ્રી બનાવવા માટે શહેરી ગરીબ આવાસ યોજના અમલી બનાવવા માટે બંધ પડેલી મિલોના વિસ્તારમાં આવાસો બનાવવાની માગણી ઊઠી રહી છે.
 
શહેરમાં બંધ મિલોની જગ્યા વેચાણ માટે આપવામાં આવે તો તેમાંથી ૨૦ ટકા જમીન પબ્લિક યુટિલિટી માટે લેવામાં આવતી હતી જે વધીને નવા જી ડીસી આર મુજબ ૪૦ ટકા થઈ ગઈ છે એટલે મનપાને પબ્લિક યુટિલિટી તરીકે ૪૦ ટકા આવી જમીન મળે તેવી જોગવાઈ કરવામાં આવી છે. શહેરમાં બંધ પડેલી મિલની લાખો વાર જમીન બિનઉપયોગી પડી રહી છે. અમદાવાદમાં મુખ્યત્વે જી.એસ.ટી. અને એન.ટી.સી.ની મિલો છે. તમામ મિલો શહેરના મધ્ય અને હાર્દસમા વિસ્તારમાં આવેલી છે. કામદારો લહેણી રકમ અને બીજા બોજાઓ ચૂકવીને કલેકટર અને રાજ્ય સરકાર દ્વારા એકવાયર કરવામાં આવે તો વીસ લાખવાર થી પણ વધુ જગ્યા મળી શકે તેમ હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યુ હતુ. જો આ જગ્યામાં રાજય અને કેન્દ્ર સરકારની મદદથી શહેરી ગરીબ આવાસ યોજનાના મકાનો બાંધવામાં આવે તો ૧,૦૦,૦૦૦થી પણ વધુ મકાનો બનાવી શકાય તેમ છે.
 
શહેરમાં ગરીબ આવાસ યોજનાના મકાનો બનાવવા માટે મનપા અને કલેકટર તેમ જ રાજ્ય સરકારના અધિકારી સાથેની એક સંયુકત મિટિંગ બોલાવી શહેરમાં બંધ મિલોની લાખો ચોરસ વાર જગ્યામાં શહેરી ગરીબ આવાસ યોજનાના મકાનો બનાવવાનો નિર્ણય લેવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવા તેમ જ તમામ બંધ મિલોનો સર્વે કરાવવાની રાજય સરકાર સામે માગણી ઊઠી રહી છે. 

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments