Webdunia - Bharat's app for daily news and videos

Install App

મીઠું પકવતા અગરિયાઓ ચામડીના વિવિધ રોગથી પિડાય રહ્યાં છે

Webdunia
શુક્રવાર, 8 મે 2015 (15:59 IST)
આઠ માસ સુધી બળબળતા રણમાં ઝુપડી બાંધી મીઠું પકવતા અગરિયાઓને રાત-દિવસ ખારા પાણી અને હવામાનમાં રહેવું પડતું હોવાથી ૯૮ ટકા અગરિયાઓ ચામડીના વિવિધ રોગથી પિડાય રહ્યાં હોવાની કાળજી કંપાવનારી હકિકત બહાર આવી છે. કેટલાક લોકોના પગમાં ચાંદા પડયા બાદ પગમાં સોજો આવતા પગ કાળો પડવા લાગે છે અને સડો પગમાં આગળ વધતા પગ કાપવાની નોબત આવે છે.

આઠ-આઠ મહિના સુધી ખારા પાણીમાં પગ ડુબેલા રહેવાથઈ પગમાં ચાડા કે સડો પડી જાય છે

દેશના મીઠાના કુલ ઉત્પાદનમાં ૭૦ ટકા મીઠું ગુજરાતમાં પાકે છે. તેમાંથી ૮૭ ટકા મીઠું ઝાલાવાડમાંથી તૈયાર થાય છે. ઝાલાવડના રણકાંઠા વિસ્તારમાં હજારો પછાત અગરિયા પરિવારો પોતાના ભૂલકા સાથે ૮ માસ સુધી ધોમધગતા તાપ અને કડકડતી ઠંડીમાં રાત-દિવસ ૨૪ કલાક કાળી મજુરી કરી રહ્યાં છે. આ કાળી મજુરીના બદલામાં આ નિર્દોષ અગરિયાઓને મળે છે જીંદગી ભરની બળતરા કરાવતો ચામડીનો અસહ્ય રોગ. સતત ખારા પાણીમાં કામ કરવાથી પગમાં ગેંગરીન સહિતની અનેક બિમારીઓ લાગુ પડે છે. ખારા પાણીમાં સતત પગ ડુબેલા રહેતા પગ લાકડાજેવા થઇ જાય છે. મૃત્યુ બાદ અગરિયાને અગ્નિ સંસ્કાર કરતાં આખઉ શરીર બળી જાય પણ પગ સૌથી છેલ્લે બળે  છે.

મીઠુ પકવતા અગરિયામાં ૯૮ ટકાને ચામડીના વિવિધ રોગના ભરડામાં આવી જાય છે. ત્યારે આ ઉદ્યોગ સાથે સંકડાયેલા લોકોનું તંત્ર દ્વારા નિયમિત ચેકઅપ થાય તેવી માંગ ઉઠી છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments