Webdunia - Bharat's app for daily news and videos

Install App

મધ્યાહન ભોજન યોજનામાં કામ કરતા સંચાલક રસોયા અને મદદનીશોનો પગાર માત્ર ૧ હજાર

Webdunia
ગુરુવાર, 17 જુલાઈ 2014 (14:48 IST)
મધ્યાહન ભોજન યોજનામાં કામ કરતા સંચાલક રસોયા અને મદદનીશો છેલ્લા ૩૦ વર્ષીય કામ કરતા હોવા છતાં તેમને માત્ર સરકાર દ્વારા મામુલી માસિક એક હજાર વેતન ચૂકવવામાં આવે છે. સામાન્ય વેતનમાં કુટુંબનું ભરણપોષણ કરવું કઠીન હોવાથી પગાર ધોરણ આપી કાયમી કરવા સહિતની જુદી જુદી પાંચ માંગણીઓ સંચાલકો દ્વારા કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે તેવી માંગણીઓ સ્વીકારી રાજ્ય સરકારને તેનો અમલ કરવા જણાવ્યું હતું પરંતુ મહિનાઓ બાદ પણ તેવી માંગણીઓ પ્રત્યે રાજ્ય સરકારનો હકારાત્મક પ્રતિસાદ નહીં સાંપડતા આગામી દિવસોમાં અહિંસક આંદોલનની ચિમકી આપવામાં આવી છે.

ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન યોજના કર્મચારી મહામંડળના પ્રમુખ ચંદનસિંહ વાઘેલા તેમજ મંત્રી ઈશ્વરભાઈ જોશીએ જણાવ્યું હતું કે, મધ્યાહન ભોજન યોજના ગુજરાત સરકારે તા.૧૯/૧૧/૧૯૮૪ના રોજથી અમલ કરેલ છે, આ યોજનામાં કામ કરતા સંચાલક રસોયા અને મદદનીશો છેલ્લા ૩૦ વર્ષથી નિષ્ઠાભાવે ફરજ બજાવતા હોવા છતાં તેમને મામુલી કહી શકાય તેેટલો માત્ર એક હજાર રૃપિયા વેતન ચૂકવવામાં આવે છે. મધ્યાહન ભોજન યોજનામાં વિધવા ત્યકતા અને નિરાધાર મહિલાઓ મળી ૬૦ હજાર કર્મચારીઓનો સમાવેશ થાય છે. પરંતુ તેઓને મળતા સામાન્ય વેતથી કુટુંબનું ભરણપોષણ કરવું મોંઘવારીના જમાનામાં કઠીન છે જેથી પગાર વધારા સહિતની કેટલીક માંગણીઓને લઈને અવારનવાર ગુજરાત સરકાર સમક્ષ લેખિત-મૌખિક ફરિયાદો કરવામાંઆવતી રહી હતી છતાં કોઈ નિવેડો નહીં આવતા કેન્દ્ર સરકાર સમક્ષ તત્કાલિક વડાપ્રધાન ડો.મનમોહન સિંઘ સમક્ષ રજૂઆત કરાતા તેમણે માંગણીઓ સ્વીકારી રાજ્ય સરકારને તેનો અમલ કરવા જણાવ્યું હતું, પરંતુ રાજ્ય સરકારે કોઈપણ પ્રકારની માંગણી નહીં સંતોષતા આગામી ર૭ જુલાઈ સુધીમાં તેઓની પગાર ધોરણ આપી કાયમી કરવા, એનજીઓ રદ્દ કરી છુટા થયેલા તમામ કર્મચારીઓને પુનઃ નોકરીમાં લેવા, ભવિષ્યમાં એનજીઓ દાખલ નહીં કરવા, નિવૃત વય મર્યાદા પ૮ને બદલે ૬૦ વર્ષ કરવી, સંચાલકની ભરતીમાં ૧૦૦ ટકા મહિલાઓની ભરતીની જોગવાઈમાં સુધારો કરી ૩૩ ટકા મહિલાઓની ભરતી ઉપરાંત ગેસના બાટલા જરૃરિયાત મુજબ પુરતા પ્રમાણમાં આપવા, બાટલાની તંગી વખતે બળતણની જોગવાઈ કરવી સહિતની માંગણીઓ તા.ર૭/૭ સુધીમાં નહીં સ્વીકારવામાં આવે તો તા.ર૮/૭ના ગાંધીનગર મુકામે પરિવાર સાથે મહારેલી યોજાશે અને રેલી પૂર્ણ થયા બાદ જાહેરસભા યોજી મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવાશે તેવી જલદ ચિમકી આપવામાં આવી છે.

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments