Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપા બન્યો સત્તાલક્ષી - ગોવિંદાચાર્ય

વેબ દુનિયા
ગુરુવાર, 12 ફેબ્રુઆરી 2009 (12:32 IST)
ભાજપે પ્રજાલક્ષી નીતિ અપનાવવી જોઈએ. પરંતુ તેને સત્તાલક્ષી નીતિ અપનાવી છે. ભાજપા પણ એક પ્રકારનો ભગવા રંગનો કાગ્રેસ પક્ષ જ છે. ભાજપા હવે સત્તાલક્ષી પક્ષ બની ગયો છે. પ્રજાના પ્રશ્નો ઊકેલવા માટે પ્રયત્ન કરતો નથી.      
ગોવિંદાચાર્ય

ગુજરાત સરકારે ધનવાન અને મુડીવાદીઓ તરફી નીતિ અપનાવવાને બદલે નરસિંહ મહેતા અને મહાત્મા ગાંધીએ બતાવેલા માર્ગ તરફી તેમના વિચારોની નીતિ અપનાવવી જોઈએ એવું રાષ્ટ્રવાદી મોરચાના સંયોજક ગોવદાચાર્યએ અહીં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

એક સમયે થીંક ટેન્ક ગણાતા ભાજપાના પૂર્વ મહામંત્રી ગોવિંદાચાર્યે ભાજપા છોડી નીકળી ગયા બાદ હાલમાં રાષ્ટ્રવાદી મોરચાની સ્થાપના કરી છે. મોરચાના ગુજરાતના ઘટક પક્ષ મહાગુજરાત જનતા પાર્ટી આયોજીત કાર્યક્રમમાં હાજરી આપવા પધારેલા ગોવદાચાર્યએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે સમૃદ્ધિ સેવવાની મનોકામનાને બદલે સંસ્કૃતિનું સમન્વય કરવું જોઈએ.

એનેક્ષી ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે, પહેલાના ભાજપમાં આગેવાનો અને કાર્યકરો એક વૈચારિક પક્ષ તરીકે કામ કરતા હતા. અત્યારનો ભાજપ વૈચારિક તેમજ કુશળ કાર્યકરોનો પક્ષ રહ્યો નથી. કોઈપણ પ્રકારે સત્તા હાંસલ કરવાવાળો સત્તાલક્ષી પક્ષ બની ગયો છે.
ગુજરાતમાં મુડીવાદીઓને પ્રોત્સાહન આપે છે. પરંતુ પ્રજાના પ્રશ્નો ઊકલવાની ચિંતા નથી. સુરતમાં રત્ન કલાકારો આત્મહત્યા કરી રહ્યા છે. તેના ઊકેલ માટે સરકાર સંવેદનશીલ પણ નથી.

તેમણે કહ્યું કે, ભાજપે પ્રજાલક્ષી નીતિ અપનાવવી જોઈએ. પરંતુ તેને સત્તાલક્ષી નીતિ અપનાવી છે. ભાજપા પણ એક પ્રકારનો ભગવા રંગનો કાગ્રેસ પક્ષ જ છે. ભાજપા હવે સત્તાલક્ષી પક્ષ બની ગયો છે. પ્રજાના પ્રશ્નો ઊકેલવા માટે પ્રયત્ન કરતો નથી. ગાંધીનગરમાં ધાર્મિક સ્થળો તોડવામાં આવે છે તેને બદલે પુજા સ્થાનોની પુનઃ સ્થાપના કરવી જોઈએ.

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

Show comments