Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાટીદાર અનામત આંદોલન સમિતિમાંથી ચિરાગ અને કેતન પટેલ બરતરફ, હાર્દિકે ઉદેપુરથી જાહેરાત કરી

Webdunia
સોમવાર, 29 ઑગસ્ટ 2016 (14:05 IST)
પાટીદાર અનામત આંદોલન સમિતિના  હાર્દીક પટેલે ઉદેપુર ખાતે સમિતિના હોદ્દેદારોની બેઠક બોલાવીને સંગઠનમાં ધરખમ ફેરફારો કર્યા છે. જેમાં મુખ્ય ફેરફાર હાર્દિકના સૌથી જુના સાથી ચિરાગ અને કેતન પટેલની ‘પાસ’માંથી ‘‘હાર્દિક’’ હકાલપટ્ટી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચિરાગ અને કેતન પટેલની હકાલપટ્ટી પાછળ હાર્દિકે એવું કારણ આપ્યું છે કે એ બન્ને દ્વારા સમિતિના સર્વમાન્ય નેતા હાર્દિક પટેલ વિરૂદ્ધ ખોટા આરોપો કરાયા છે જેના કારણે પાટીદાર સમાજની લાગણી દુભાઈ છે. ચિરાગ અને કેતન પટેલ પાટીદાર સમાજની એકતા તુટે તેવા નિવેદનો મીડિયાના માધ્યમથી કરી રહ્યા છે તેથી તે બન્નેને ‘પાસ’માંથી બરતરફ કરવામાં આવે છે. આ ઉપરાંત હાર્દિક પટેલની અધ્યક્ષતામાં ગુજરાતમાં 32 સભ્યોની નવી કારોબારીની રચના કરવામાં આવી છે તેમજ 9 સભ્યોની મુખ્ય કોર કમિટિની પણ જાહેરાત કરાઈ છે. હાર્દિક પાસે કે અન્ય કોઈ પાસે અમને બરતરફ કરવાનો અધિકાર નથી કારણકે ‘પાસ’ હાર્દિકની માલિકીની પેઢી નથી. તેણે અમારા પર જે આરોપ લગાવ્યા છે તે સાબિત કરે તો કાયમ માટે સમાજ જીવન છોડી દઈશું. ઉલટાનું હાર્દિકે એકહત્થુ નિર્ણય લઈને અમને બરતરફ કરીને તેના પરના અમારા આરોપને સાચા સાબિત કર્યા છે. અમે ‘પાસ’ના બેનર હેઠળ જ સમાજના આંદોલનને આગળ ધપાવીશું અને સમાજને યોગ્ય ન્યાય અપાવીને જંપીશુ.
વધુ જુઓ..

જરૂર વાંચો

Gir national park- ગીર રાષ્ટ્રીય ઉદ્યાન

ગુજરાતી જોક્સ - કેટલા કરોડ વર્ષ

ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરો વર્ગમાં આવ્યો

ગુજરાતી જોક્સ - ગરોળી બની

ગુજરાતી જોક્સ - ભગવાન ક્યાં છે?"

વધુ જુઓ..

નવીનતમ

આ કારણોસર પીઠમાં થાય છે દુ:ખાવો, ઉઠવુ-બેસવુ થઈ જાય છે મુશ્કેલ, Back Pain થી છુટકારો મેળવવા માટે અજમાવો આ ઉપાય

સોજી પોટેટો બોલ્સ

તમારા ચહેરાની ચમક પણ ઝાંખી પડી જશે, સ્વસ્થ ત્વચા માટે અનુસરો આ ટિપ્સ.

Tricks to remove dahi sourness: શું દહીં વાસી થવાને કારણે ખાટું થઈ ગયું છે? આ સરળ રસોડાની ટિપ્સથી સ્વાદને સંતુલિત કરો

Cabbage consume- કોબીના સેવન કરતા પહેલા જાણી લો, જંતુઓ છે જીવલેણ, જાણો તેનાથી કેવી રીતે બચી શકાય?

આગળનો લેખ
Show comments