Webdunia - Bharat's app for daily news and videos

Install App

નરેન્દ્ર મોદી મણિનગરથીજ ચૂંટણી લડશે

વેબ દુનિયા
બુધવાર, 24 ઑક્ટોબર 2007 (10:21 IST)
વડોદરા (વેબદુનિયા) વિધાનસભાની આગામી ચૂંટણીમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તેમની મણિનગર બેઠક ઉપરથી જ ચૂંટણીમાં જંપલાવશે તેવી જાહેરાત કરી ભાજપના પ્રભારી ઓમ માથુરે નરેન્દ્ર મોદી કયાંથી ચૂંટણી લડશે તે અંગે થઇ રહેલી વિવિધ અટકળોનો અંત લાવી દીધો હતો.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ વડોદરામાં યુવા ભાજપ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા ભાજ્પના પ્રદેશ પ્રભારી ઓમ માથુરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, મોદી અન્ય કયાંયથી પણ નહીં પણ મણિનગર બેઠક ઉપરથી જ ચૂંટણી લડશે. નરેન્દ્ર મોદી વડોદરાની રાવપુરા બેઠક ઉપરથી ચૂંટણી લડવાના છે તે અંગે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં માથુરે સ્પષ્ટ જણાવ્યું હતું કે, એક તરફ અખબારો મોદીને ગાંધીનગરથી દિલ્હી જઇ રહ્યા હોવાના અહેવાલો પ્રસિદ્ધ કરે છે. બીજી તરફ મોદી મણિનગર બેઠક છોડી ગાંધીનગર અને રાવપુરા બેઠક ઉપરથી ચૂંટણી લડવાના છે તેમ પ્રસિદ્ધ કરે છે પરંતુ મોદી મણિનગર બેઠક ઉપરથી જ ચૂંટણી લડશે. આમ, માથુરે મોદીની બેઠક અંગે ચાલતી વિવિધ અટકળો અને ચર્ચાઓ ઉપર ફૂલસ્ટોપ મૂકી દીધું હતું.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments