અત્રે ઉલ્લેખનીય છે કે તરણેતરના મેળામાં હાજરી આપવા આવતા મુખ્યમંત્રી મોદી હંમેશા તેમનું હેલીકોપ્ટર ત્રિનેત્રેશ્વરના શિખર પરથી પસાર ન થાય એની કાળજી રાખતા હતા. તેમના પાયલટને તકેદારી રાખવાની સ્પષ્ટ સૂચના આપવાનું તેઓ કયારેય પણ ભૂલ્યા ન હોવાનું અંતરંગ સૂત્રો જણાવી રહ્યા છે.