Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો..જો..ને બિહારનાં ધડાકાનું કનેક્શન પણ ગુજરાતમાંથી જ નીકળશેઃ શંકરસિંહનો કટાક્ષ

Webdunia
બુધવાર, 30 ઑક્ટોબર 2013 (11:12 IST)
P.R
બિહારના પટણામાં થયેલા શ્રેણીબદ્ધ બોંબ વિસ્ફોટની જો ન્યાયિક તપાસ થાય તો વિસ્ફોટો કરનારનું પગેરું ગુજરાતમાં નીકળશે. આવો આક્ષેપ ગુજરાતના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કર્યો છે. બિહારના પટનામાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની જાહેર સભા પહેલા થયેલા સાત શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો અંગે બાપુએ કેટલાક આક્ષેપો કર્યા છે. શંકરસિંહ વાઘેલાએ સવાલ કર્યો છે કે, ઈન્ડિયન મુઝાહિદ્દીને નાણાકીય મદદ કોણ પુરી પાડે છે તેની તપાસ થવી જોઈએ. સાથે જ તેમણે કહ્યું કે, ચોક્કસ સમયે જ બિહારમાં વિસ્ફોટ થયા. અને તેનું કારણ શું?. વળી તેમણે આક્ષેપ કર્યો કે, આ તમામની તપાસ થાય તો વિસ્ફોટ કરનારનું પગેરું ગુજરાતમાં નિકળશે. તેમણે અગાઉની ઘટનાનો દાખલો આપી આ આક્ષેપ કર્યો. જેમ બુદ્ધ ગયા વિસ્ફોટનું પગેરું મળ્યું હતું તેમ આ ઘટનાનું પણ પગેરું ગુજરાતમાં નીકળશે તેવો દાવો પણ તેમણે કર્યો. પટણામાં નરેન્દ્ર મોદીની જાહેર સભા પહેલા થયેલા શ્રેણીબદ્ધ બોંબ વિસ્ફોટની પ્રાથમિક તપાસમાં શંકાની સોંય ઈન્ડિયન મુઝાહિદ્દીન તરફ તકાઈ છે. સાથે જ કાવતરું કરાંચીમાં ઘડાયું હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આવા સમયે શંકરસિંહ વાઘેલાના આ આક્ષેપો સાથેના દાવાથી રાજકીય ગરમાવો પણ આવી ગયો છે.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments