Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત પોલીસના વર્તનથી અન્‍ય રાજ્‍યોની પોલીસ નારાજ

Webdunia
મંગળવાર, 15 એપ્રિલ 2014 (11:40 IST)
ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્‍દ્ર મોદીની રેલીઓ દરમિયાન ગુજરાત પોલીસના વર્તનથી અન્‍ય રાજ્‍યોના પોલીસ અધિકારીઓ ભારે નારાજ છે. તાજેતરમાં યોજાયેલી યુનિયન મિનિસ્‍ટ્રી ઓફ હોમ અફેર્સની બેઠકમાં અડધા ડઝનથી વધુ રાજ્‍યના પોલીસ અધિકારીઓએ આની ફરીયાદ કરી છે.
 
   યુનિયન હોમ સેક્રેટરી અનિલ ગોસ્‍વામીના વડપણ હેઠળ ચૂંટણી ઝુંબેશ કરનારાઓની સલામતીની સમીક્ષા માટે યોજાયેલી આ બેઠકમાં અડધા ડઝનથી વધુ રાજ્‍યના પોલીસ અધિકારીઓએ ફરીયાદ કરી હતી કે, મોદી હજુ વડાપ્રધાન બન્‍યા નથી, પરંતુ તેની સલામતી વિગતોમાં જાણે તેઓ સ્‍પેશ્‍યલ પ્રોટેકશન ગૃપ(એસપીજી)માં આવતા હોય તેવું વર્તન કરવામાં આવે છે. એસપીજી સુરક્ષામાં વડાપ્રધાન અને તેના પરીવારનું રક્ષણ કરવામાં આવે છે.
 
   સૂત્રોના જણાવ્‍યા અનુસાર અન્‍ય રાજ્‍યોના પોલીસ અધિકારીઓ ગુજરાત પોલીસના કેટલાક અધિકારીઓના વર્તનથી નારાજ છે. આ અધિકારીઓ મોદી સાથે તેની રેલીઓ દરમિયાન સાથે હોય છે. બેઠકમાં ભાગ લેનારા પોલીસ અધિકારીઓએ રેલી દરમિયાન મોદીની સાથે રહેનારા પોલીસ અધિકારીઓના તોછડા વર્તન પ્રત્‍યે નારાજગી દર્શાવી હતી. પટના રેલીમાં બોંબ બ્‍લાસ્‍ટ થયા બાદ દેશમાં સૌથી વધુ રક્ષણ મોદીને આપવામાં આવ્‍યું છે.

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

Show comments