Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં તમામ બીપીએલ કુટુંબને રહેઠાણ - મોદી

Webdunia
સોમવાર, 20 ડિસેમ્બર 2010 (15:45 IST)
P.R
ગુજરાતમાં બીપીએલ કુટુંબોના ગ્રામીણ આવાસ ક્ષેત્રમાં મીશન મોડ ઉપર અભ્યાસ કરીને તમામ 3.22 લાખ કુટુંબોને આવાસ માટે જમીનના પ્લોટની ફાળવણી કરી છે. ગુજરાતમાં ગરીબી રેખા નીચે જીવતા કોઈ કુટુંબ ઘરવિહોણું નહી રહે તેમ રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે નવી દિલ્લી ખાતે યોજાયેલી બાંધકામ ઉદ્યોગની રાષ્ટ્રીય પરિષદમાં વક્તવ્ય આપતા જણાવ્યુ હતુ.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે ગુજરાત પ્રથમ રાજ્ય હશે જ્યા બીપીએલના તમામ કુટુંબોને આવાસ જમીનના પ્લોટની ફાળવણી કરી છે અને બીપીએલ પરિવાર આવાસ વિનાનુ નહી રહે એવો નિર્ધાર વ્યક્ત કરતા તેમણે ઉમેર્યુ હતુ કે ભારતમાં શહેરીકરણ ઝડપથી થઈ રહ્યુ છે. તેને દેશમાં સમસ્યા તરીકે ગણવામાં આવે છે. જ્યારે ગુજરાતમાં શહેરીકરણને એક અવસર તરીકે માણીને આવાસનો એક માળખાકીય સુવિદ્યા દ્વારા જનસુખાકારીનો દ્રષ્ટિકોણ અપનાવ્યો છે. તેમણે કહ્યુ હતુ કે ગુજરાતના રૂરલ પ્રોજેક્ટને વ્યાપક આવકાર મળી રહ્યો છે.

ગુજરાત સરકાર ગામડાંઓની સુવિદ્યા અંકબંધ રહે તે માટે રૂલબંધ ટાઉનશીપનુ મોડલ વિકસાવવાની પહેલ કરી છે. ગુજરાતમાં ગરીબી રેખા હેઠળ જીવતા ગરીબ પરિવારો ઘર વિહોણા ન રહે અને તેમને ઘરનુ ઘર મળી રહે એવા શુભ આશયથી તમામ 3.22 લાખ કુટુંબોને આવાસ માટે જમીનના પ્લોટ્સ ફાળવવામાં આવ્યા છે. ગામડાઓમાં પણ માળખાકીય સુવિદ્યાઓ ઉભી કરવા રાજ્ય સરકારે પ્રયાસો આદર્યા છે.

સવારે ઉઠ્યા પછી કરો આ એક કામ, તમારી આસપાસ પણ નહીં ફટકે દિલની બીમારી, હાર્ટ હંમેશા રહેશે સ્વસ્થ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments