Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના મુખ્યપ્રધાન જૈન હોવાથી તેઓ કતલખાના બંધ કરાવે -જૈનાચાર્ય

Webdunia
મંગળવાર, 30 ઑગસ્ટ 2016 (14:22 IST)
પર્વાધિરાજ પર્યુષણનો શુભારંભ થતાં જૈન પરિવારો ધર્મસાધના  અને દાન પૂણ્યના કાર્યમાં પ્રવૃત્ત થઇ ગયા છે.  ચાતુર્માસ અર્થે પધારેલા  જૈનાચાર્ય વિજય પુર્ણચંદ્ર સુરીજીના પ્રભાવક પટ્ટધર પ્રવચનકાર જૈનાચાર્ય યુગચંદ્ર સૃરીજીએ  જણાવ્યું હતું કે પર્યુષણના પ્રમુખ પાંચ કર્તવ્યો પ્રત્યેક જૈને આચરવા જોઇએ જેમાં અમારી પ્રવર્તન,સાધર્મિક વાત્સલ્ય,ક્ષમાપના,અઠ્ઠમતપ અને ચૈત્ય પરીપાટીનું પાલન કરનારને પર્યુષણની સાચી ઉપાસના કરવાનું ફળ મળે છે. અહિંસા માટે કતલાખાના બંધ કરાવવા જોઇએ તેવી અપેક્ષા ગુજરાતના મુખ્યમંત્રી પાસે તેઓ જૈન હોવાના નાતે રાખે છે. તેઓએ તે પૂરી કરવી જોઇએ. તેમણે વધુમાં જણાવ્યું કે વિશ્વમાં ચોમેર હિંસા મારો-કાપોની બુમરાણ મચી છે ભારત અને વિશ્વ હિંસાના ભરડામાં સપડાઇ ગયું છે. જ્યાં માર શબ્દ પણ કોઇ બોલી શકતુ નહોતું ત્યાં બેરોકટોક હિંસાની હોળી સળગતી રહે છે.પશુઓના ચિત્કાર વગરનો પણ એકેય દિવસ ઉગતો નથી.લોકશાહી પહેલાં ભારતમાં માત્ર 300 કતલખાના હતા આજે 36 હજાર કતલખાના થઇ ગયા છે.રાજ્યસત્તાની પરમિશનથી ચાલતા કતલાખાનાનો આ આંકડો છે.  ગેરકાયદેસર કેટલા ચાલતા હશે તેની તો કલ્પનાજ કરવી રહી.ગુજરાતના સી.એમ વિજયભાઇ રૂપાણી જૈન હોવાના નાતે સમગ્ર ગુજરાતની જનતા તેમની પાસે આવાજ નક્કર પરિણામની અપેક્ષા રાખી રહી છે.કોઇને આપણે પ્રાણ આપી શકતા હોઇએતો જ કોઇના પ્રાણ લેવાનો અધિકાર આપણને છે.દરેક જીવને પોતાનો જીવ વહાલો છે.મરવું કોઇને પણ પસંદ હોતુ઼ નથી.જીવો અને જીવવા દો એટલુંજ નહી પણ બલીદાન આપીને પણ બીજાને જીવાડો તોજ આયખુ સફળ થાય તેવું ભગવાન મહાવીર સ્વામીએ પણ કહ્યું છે.

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments