Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેશુભાઈ પટેલ નિરાશ: રાજકીય નિવૃત્તિ જ જાહેર કરે તેવી સંભાવના

ગુજરાત સમાચાર

Webdunia
શુક્રવાર, 27 ડિસેમ્બર 2013 (10:56 IST)
P.R
ગુજરાત પરિવર્તન પાર્ટીના સ્થાપક પ્રમુખ કેશુભાઈ પટેલ તેમના પુત્ર ભરત પટેલની રાજકીય એષણા અને કારર્કિદી માટે રાજકીય નિવૃત્તિ લે તેવી સંભાવના સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ કેશુભાઈ ધારાસભ્યપદેથી રાજીનામું આપી દે અને તેમની ખાલી પડેલી જગ્યાએ ભાજપ ભરત પટેલની ટિકિટ આપીને ધારાસભ્ય બનાવીને તેમને પ્રધાનપદ આપવામાં આવે તેવી શક્યતા પણ સૂત્રોએ વ્યક્ત કરી છે.

ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના પાયાના કાર્યકર રહી ચૂકેલા કેશુભાઈ પટેલની ભાજપમાં થતી અવમાનના બદલ તેમણે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) છોડીને ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી)ની રચના કરી હતી. આ જીપીપીએ ગત વિધાનસભાની ચૂંટણીમાં માત્ર બે બેઠક મેળવી હતી, જેમાં એક કેશુભાઈ પટેલ અને બીજા ધારીના નલિન કોટડિયાનો સમાવેશ થાય છે. જેના કારણે કેશુભાઈ પટેલ નિરાશ થયા હતા. દરમિયાનમાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાથે નિકટતા કેળવી હતી.

દરમિયાનમાં બે દિવસ પહેલા કેશુભાઈના પુત્ર ભરત પટેલ વિધિવત્ રીતે પુનઃભાજપમાં જોડાયા હતા. ભરત પટેલના ભાજપમાં પુનઃ જોડાણથી અનેક જાતના તર્ક-વિર્તકો ઉદ્ભવી રહ્યા છે. આ અંગે અંતરંગ સૂત્રોના જણાવ્યા મુજબ ભરત પટેલની રાજકીય એષણાને સંતોષવા માટે કેશુભાઈ પટેલ રાજકીય નિવૃત્તિ લઈ લે તેવી સંભાવના છે. કેશુભાઈ નજીકના સમયમાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેશે. કેશુભાઈની ખાલી પડેલી જગ્યાએ ભાજપ કેશુભાઈના પુત્ર ભરત પટેલને ટિકિટ આપીને તેમને જીતાડવામાં આવશે. ત્યાર બાદ તેમને પ્રધાનપદ સોંપવામાં આવે તેવી પણ એક હિલચાલ ચાલી રહી છે.

કેશુભાઈના પુત્ર ભરત પટેલના ભાજપમાં પુનઃ પ્રવેશ અંગે જીપીપીના ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતું કે ભરતભાઇને અમે શુભેચ્છા પાઠવી છે. કેશુભાઈ જીપીપી સાથે સંકળાયેલા જ છે અને રહેશે. આગામી લોકસભાની ચૂંટણીમાં પણ જીપીપી ભાજપની સામે લડશે.

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

Show comments