Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉના કાંડમાં નવો વળાંક - પહેલા રજા આપી પછી તબિયત લથડતા ફરી દાખલ કર્યા

Webdunia
ગુરુવાર, 28 જુલાઈ 2016 (11:46 IST)
ઉના દલિત યુવકોને માર મારવાનો મામલો દિવસેને દિવસે વધુ ભયંકર બની રહ્યો છે. મંગળવારના રોજ રાજકોટ સિવિલમાંથી ચારેય પીડિતોને રજા આપી દેવામાં આવી હતી. જો કે, આ ચારેય પીડિતો પોતાના વતન પહોંચતા તેમની તબિયત લથડતા તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

સિવિલમાં સારવાર માટે આવેલા પીડિતોમાંથી હાલમાં એકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. પીડિતોના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, રાજકોટ સિવિલમાં સારવાર ચાલી રહી હતી તેમની સ્થિતીમાં સુધારો ન હોવા છતાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના દબાણને કારણે તેમને સિવિલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત થથી વિગતો અનુસાર, રાજકોટ સિવિલમાંથી ડિસ્ચાર્જ કરાયા બાદ પોતાના વતન પહોંચેલા પીડિત    યુવાનોએ સવારે શરીરમાં દુઃખાવો શરૂ થઇ ગયો હતો તેમજ ઉલટી થઇ હતી. આ ઉપરાંત યુવકના કાનમાંથી લોહી નીકળ્યું હતું. જેના કારણે તેમને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ૧૬ જૂલાઇના રોજ ચારેય પીડિત દર્દીઓ રમેશ સરવૈયા, અશોક સરવૈયા, વશરામ સરવૈયા અને બેચર સરવૈયાને સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતા.

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments