Webdunia - Bharat's app for daily news and videos

Install App

આવનાર ચોમાસાનો વરતારો કરતા ગરમાળાનાં પીળાચટ્ટાક ફૂલો

Webdunia
શનિવાર, 10 મે 2014 (14:39 IST)
ધોમધમખતા તાપમાં બધુ જ નિસ્તેજ હોય ત્યારે ગરમાળાનાં ઝાડમાં પીળાચટ્ટાક ફૂલોનો વૈભવ નયનરમ્ય બને એ સ્વાભાવિક છે, પણ લોકવાયકા પ્રમાણે ગરમાળાનાં આ ફૂલો જ આવનાર ચોમાસાનો વરતારો કરી દેતાં હોય છે.
 
કુદરતને સારી પેઠે માણતા અને જાણતા માળીયા હાટીનાં પંથકનાં ગ્રામીણ વયોવૃધ્ધો કરે છે કે, કાળઝાળ ઉનાળામાં જ કુદરત તો આવતા ચોમાસાનો વરતારો કરી દયે છે. વરસમાં માત્ર એક જ વખત ઉનાળાનાં મધ્યાહ્ને ગરમાળાનાં ઝાડમાં પીળાચટ્ટાક ફૂલો આવે છે. આ ફૂલોનાં ઓછાવધુ પ્રમાણ મુજબ ચોમાસામાં મેઘમહેર થતી જોઈ છે. આ વખતે ગરમાળામાં ફૂલો પુરબહારમાં ખીલ્યા હોવાથી ચોમાસામાં ધીંગી મેઘમહેરની આશા બળવતર બની છે. વળી, લોકવાયકા પ્રમાણે ગરમાળાનાં ઝાડમાં ફૂલ આવ્યાંનાં ૪૫ દિવસ બાદ મેઘસવારી આવી પહોંચે છે. એટલે કે ચાલુ ઉનાળામાં ૧લી મે આસપાસ ગરમાળામાં મબલખ ફૂલો લચી પડયા હોવાથી દોઢ મહિના બાદ ૧૫મી જૂન આસપાસ ધૂંઆધાર વરસાદનાં શ્રીગણેશ થશે.
 
કુદરતનાં પારખું એવું પણ કહે છે કે, ગરમાળાનાં વૃક્ષોમાં ભર ઉનાળે ખિલતા ફૂલોનાં આધારે થતો ચોમાસાનો વરતારો ૭૫ ટકા સાચો પડતો આવ્યો છે. અનેક ગ્રામ્ય વિસ્તારોમાં તો કુદરતનાં આ 'કહેણ'ને નિહાળીને જ ધરતીપુત્રો ચોમાસા સમયે કરવાની વાવણીની તૈયારી શરૃ કરી દેતા હોય છે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments