Webdunia - Bharat's app for daily news and videos

Install App

આનંદીબેન પટેલના પ્રધાનમંડળનું કાલે વિસ્તરણ

Webdunia
મંગળવાર, 18 નવેમ્બર 2014 (14:26 IST)
રાજ્યમાં મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલના પ્રધાનમંડળનું આગામી તા. ૧૯મી નવેમ્બરને બુધવારના રોજ બપોરે ૧૨.૩૯ કલાકના શુભમુહૂર્તે વિસ્તરણ કરવામાં આવે તેવી શક્યતા છે. આ માટે રાજભવનના પ્રાંગણમાં જ શપથવિધિ સમારોહની તૈયારીઓ ચાલી રહી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

રાજ્યમાં મુખ્ય પ્રધાનપદેથી નરેન્દ્ર મોદીએ રાજીનામું આપ્યા બાદ ગુજરાતનું સુકાન આનંદીબેન પટેલને સોંપાયું હતું. તત્કાલીન સમયે મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે પ્રધાનમંડળનું કદ ૨૧ સભ્યોનું રાખ્યું હતું. વિધાનસભાના કુલ સભ્યોની સંખ્યાને જોતા કેબિનેટ અને રાજ્યકક્ષાના મળીને કુલ ૨૭ પ્રધાનોનું સંખ્યાબળ રાખી શકાય. પ્રધાનમંડળના વિસ્તરણની છેલ્લાં ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. પણ પ્રધાનમંડળના વિસ્તરણનું કાર્ય પાછુ ઠેલાતું હતું. તાજેતરમાં જ વિધાનસભાના અધ્યક્ષ તરીકે વનપ્રધાન ગણપતભાઈ વસાવાની વરણી કરાતાં તેમણે વનપ્રધાનપદેથી રાજીનામું આપતા પ્રધાનોની સંખ્યામાં ઘટાડો થયો હતો. પ્રધાનમંડળના વિસ્તરણથી કોઈ અસંતોષ ઊભો ન થાય તે માટે પાંચ જેટલાં સંસદીય સચિવોની પણ તાજેતરમાં જ નિયુક્તિ કરી દીધા બાદ પ્રધાનમંડળના વિસ્તરણની અટકળોએ જોર પકડ્યું હતું.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments