Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમીત શાહ સોમનાથ દર્શન કરી આજે ગુજરાતમાં પ્રવેશ કરશે

Webdunia
શુક્રવાર, 28 સપ્ટેમ્બર 2012 (14:25 IST)
P.R
સોહરાબુદ્દીન નકલી એનકાઉન્ટર કેસમાં આરોપી અને છેલ્લાં બે વર્ષથી ગુજરાતમાં પ્રવેશબંધીનો સામનો કરી રહેલા ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અમીત શાહ આજે ગુજરાત આવવા રવાના થઇ ગયા છે. આજે સવારે મુંબઇથી દીવ પહોંચશે અને ત્યાંથી ગુજરાતના પ્રખ્યાત તીર્થધામ સોમનાથ ખાતે સોમનાથ મહાદેવનાં દર્શન કરીને અમદાવાદ પોતાના નિવાસસ્થાને રવાના થશે.

ગુજરાતના પૂર્વ ગૃહપ્રધાન અને મોદીના ખાસ ગણાતા અમીત શાહ માટે સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં પ્રવેશવાનો રસ્તો ખુલ્લો કરીને તેમને ગુજરાતમાં પ્રવેશવાની મંજૂરી આપતાં ભાજપમાં હર્ષનું મોજું ફરી વળ્યું છે. ગઇકાલે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા બાદ અમીત શાહે આશ્ચર્યજનક રીતે સીધા જ હરિયાણાના સુરજકુંડ ખાતે ચાલી રહેલી ભાજપની રાષ્‍ટ્રીય કારોબારીમાં હાજરી આપી હતી. આ બાદ આજે તેઓ અમદાવાદ સ્થિત પોતાના નિવાસસ્થાને આવનાર છે.

આજે સવારે ગુજરાત માટે રવાના થતાં મુંબઇથી દીવ પહોંચશે અને ત્યાંથી તેઓ કાર દ્વારા તીર્થધામ સોમનાથ પહોંચનાર છે. અહીં તેઓ સોમનાથ મહાદેવનાં દર્શન કરીને બાદમાં અમદાવાદના નારણપુરા સ્થિત પોતાના નિવાસસ્થાને રવાના થશે.
નારણપુરા ખાતે તેમના પરિવાર, કુટુંબીજનો તેમજ મિત્રો અને શુભેચ્છકોએ અમીત શાહના સ્વાગત માટે જોરદાર તૈયારીઓ કરી દીધી છે. નોંધનીય છે કે, આજે શુક્રવારે સાંજે ૭ વાગ્યે તેઓ પોતાના નિવાસસ્થાને પહોંચશે.

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

Show comments