Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમિતાભ ફરી એકવાર ખુશ્બુ ગુજરાત કી..ના શૂટિંગ માટે ગુજરાતમાં

Webdunia
બુધવાર, 18 ડિસેમ્બર 2013 (10:01 IST)
P.R


કચ્છમાં રણોત્સવનો પ્રારંભ થયો છે, જે 31 માર્ચ સુધી ચાલશે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એવું સૂત્ર બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન દ્વારા ખૂશ્બુ ગુજરાત કી જાહેરખબરથી પ્રચલિત થઇ છે. બિગ બી તરીકે ઓળખાતા આ અભિનેતાના પ્રચાર-પ્રસારને કારણે ગુજરાતમાં પ્રવાસનને વેગ મળ્યો છે. તેઓ ફરીથી ખૂશ્બુ ગુજરાતના શૂટિંગ માટે ગુજરાત આવી રહ્યા છે.

સૂત્રોએ કહ્યું કે આ વખતે તેઓ જૈનોના તીર્થધામ પાલિતાણા, પવિત્ર યાત્રાધામ પાવાગઢ, પારસીઓ માટે મહત્વના સ્થાન ઉદવાડા અને શિખોના ધર્મગુરુ ગુરુનાનક જ્યાં કચ્છમાં રહ્યા હતા તે લખપત ખાતે આવેલ ગુરુદ્વારા સાહિબના શૂટીંગમાં ભાગ લેશે. 11 દિવસ સુધી આ શૂટીંગનો કાર્યક્રમ યોજાશે જેમાં તેઓ અમદાવાદની પણ મુલાકાત લેવાના છે.

સૂત્રોએ કહ્યું કે આ અગાઉ તેમણે અમદાવાદમાં ખાડિયા વિસ્તારમાં ઉત્તરાયણ પ્રસંગે શૂટીંગમાં ભાગ લીધો હતો. આ વખતે તેઓ સીદી સૈયદની જાળી અને સરખેજના એતિહાસિક રોજા ખાતે શૂટીંગ કરશે. આ સ્મારકો પુરાતન અને એતિહાસિક મહત્વ ધરાવે છે. બચ્ચન દ્વારા આ તમામ સ્થળોએ શૂટીંગ યોજ્યા બાદ અને વિવિધ માધ્યમોમાં તેનો પ્રચાર પ્રસાર થયા બાદ આ સ્થાનોની મુલાકાત લેવા માટે પ્રવાસીઓમાં આકર્ષણ વધશે. એમ પણ કહેવાય છે કે ખુશ્બુ ગુજરાત કી... પ્રચાર - પ્રસાર થયા બાદ ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે.

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments