Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં દિકરી પર સગા પિતાનો બળાત્કાર

સતત 10 વર્ષ સુધી આશરે 18 વર્ષની પુત્રીનું જાતિય શોષણ કરતો પિતા

Webdunia
શનિવાર, 23 ફેબ્રુઆરી 2008 (12:33 IST)
અમદાવા દ(વેબદુનિયા) શહેરના રામોલ વિસ્તારમાં સ્થાયી થયેલા મૂળ પંજાબના પરિવારના મોભીએ સગી દીકરી પર બળાત્કાર ગુજાર્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પત્નીના અવસાન બાદ દસ વર્ષથી હવસખોર પિતા ધાકધમકી આપી દીકરીના શરીરને શરીરને ચુસી રહ્યો હોવાની કેફિયત ખુદ બળાત્કારનો ભોગ બનેલી દીકરીએ વ્યકત કરી છે.

મૂળ પંજાબના વતની જગજિતસિંઘ પંજાબી (ઉ.વ.૫૦) વર્ષો પહેલાં અમદાવાદ સ્થાયી થયા હતા અને પત્ની તેમજ ત્રણ સંતાનો સાથે રામોલ વિસ્તારમાં રહે છે અને તેઓનો વ્યવસાય ઘરની બહારની દુકાનમાં જવેલરી શો-રૂમ ચાલે છે. તેઓના સંતાનોમાં મોટો પુત્ર રાજેશ (ઉ.વ.20), પુત્રી પારૂલ (ઉ.વ.17.11 વર્ષ) અને નાનો પુત્ર રમેશનો સમાવેશ થાય છે.(સંતાનોના નામ બદલવ્યા છે) લગભગ 12 વર્ષ અગાઉ જગજિતસિંઘની પત્નીનું અવસાન થયું હતું. તે વખતે પારૂલ ફકત પાંચ વર્ષની હતી. બે વર્ષ બાદ સપના સાત વર્ષની થતાં જ જગજિતસિંધે હવસ સંતોષવા સપના સાથે શારીરિક ચેનચાળા શરૂ કર્યા હતા. ત્યાર બાદ પિતાએ પોતાની જ દીકરી સાથે અવારનવાર શારીરિક સબંધ બાંઘ્યો હતો.

સતત દસ વર્ષ સુધી પિતા દ્વારા ગુજારવામાં આવેલા બળાત્કારનો ભોગ બનેલી પારૂલ પિતાની ચુંગાલમાંથી છૂટવાના મક્કમ નિણર્ય સાથે 18 ફેબ્રુઆરીના રોજ ઘરેથી ભાગીને નડિયાદ રહેતા તેનાં માસા-માસી પાસે પહોંચી હતી અને તેમને સઘળી હકીકત જણાવી હતી. જેના આધારે ગુરુવારે રાત્રે પારૂલનાં માસા-માસી તેની સાથે રામોલ પોલીસમથકે આવ્યાં હતાં. જયાં પારૂલએ પી.આઈ. સી. ડી. ચૌધરી સમક્ષ આપવીતી રજૂ કરતાં પોલીસે સપનાની ફરિયાદના આધારે તેના હવસખોર પિતા વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે પારૂલ તા. 18મીએ ઘર છોડીને જતી રહી હોવાની જાણ થતાં જ જગજિતસિંઘ નાસી છૂટયો હતો. જયારે પારૂલના બંને ભાઈઓ પણ આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ રહસ્યમય રીતે ગુમ થઈ જતાં પોલીસે તમામની શોધખોળ શરૂ કરી છે જયારે પારૂલને તબીબી ચકાસણી તેમજ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી છે.

પાટણની પીટીસી કોલેજની વિધાર્થિની પર છ હવસખોર અઘ્યાપકોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાની ચકચારી ઘટના લોકો ભૂલ્યા નથી ત્યારે જ સગા પિતાએ પોતાની દિકરીને હવસનો શિકાર બનાવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે..

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે