Webdunia - Bharat's app for daily news and videos

Install App

અભાગિયા શિશુને કચરાની પેટીમાં જવું નહીં પડે

Webdunia
સોમવાર, 20 મે 2013 (12:28 IST)
P.R


ગુજરાતમાં દોઢ-બે વર્ષ પછી કોઈ નવા જન્મેલા અભાગિયા શિશુને કચરાની પેટીમાં જવું નહીં પડે. ગુજરાતની ધરતી પર એક એવું વાત્સલ્ય ધામ આકાર લેશે કે આવા ત્યજાયેલા અનાથ બાળકો, સમાજમાં તરછોડાયેલી મહિલાઓ અને મરવાના વાંકે જીવતાં વૃધ્ધોને માત્ર આશરો જ નહીં પરંતુ એક નવું જીવન મળશે. અંદાજે રૂ. 50 કરોડના ખર્ચે અમદાવાદથી ડાકોરના રસ્તે અલીણા પાસે મહીસા ખાતે આ વાત્સલ્ય ધામનું 20 મેના રોજ સાંજે 4.00 વાગે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિ પૂજન થશે.

વાત્સલ્યધામના પ્રેરક અને રામ જન્મભૂમિ ચળવળના જાણીતા સાધ્વી રૂતંભરા-દીદીમા અને વાત્સલ્યધામની જેમને જવાબદારી સોંપવામાં આવી છે ભાજપના અગ્રણી પરેન્દુ ભગત(કાકુભાઈ)એ આજે અમદાવાદ ખાતે સ્પોર્ટસ ક્લબ ખાતે પત્રકાર પરિષદમાં આ અંગેની માહિતી આપતાં કહ્યું હતું કે ડાકોર નજીક આકાર લેનાર આ વાત્સલ્યધામમાં અનાથ બાળકો-ત્યક્તા કે તરછોડાયેલી મહિલાઓ અને અનાથ-નિરાધાર તથા સંતાનો દ્વારા ઘરમાંથી દૂર કરાયેલા વૃધ્ધજનો એમ સમાજ જેમને બોજ ગણે છે તેમને આ ધામમાં આશરો મળશે. કુલ 100 ઘરોનું નિર્માણ કરાશે. અંદાજે 1500 લોકો પરિવારની લાગણી સાથે તેમાં રહીશકે તેવું આયોજન છે.

તેમણે કહ્યું કેપરિવારનો અભિગમ એવો છે કે આ ધામમાં અનાથ બાળકોની દેખરેખ તરછોડાયેલી મહિલાઓ લેશે. વૃધ્ધો તેમાં વડિલની ભૂમિકા નિભાવશે. તેમના માટે રહેવાની-જમવાની અને શિક્ષણની વ્યવસ્થા ધામમાં જ કરાશે. બાળકોને શિક્ષણની સાથે હુન્નરની તાલીમ પણ અપાશે. જેથી મોટા થઈને તેઓ પોતાના પગ ઉપર ઊભા રહી શકે. કોઈના ઉપર નિર્ભર રહેવું નહીં પડે. સમગ્ર ધામ માટે 80 વીઘા જમીન બજારભાવે ખરીદવામાં આવી છે. તે પેટે રૂ. અઢી કરોડ ચુકવાયા છે. સમગ્ર સંકુલમાં 100 ઘરોનું નિર્માણ, શાળા, દવાખાનું, હોસ્ટેલ તથા સ્ટાફ માટે રહેવાની વ્યવસ્થા વગેરે માટે કુલ મળીને અંદાજે 50 કરોડના ખર્ચ થાય તેમ છે.

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

Show comments