ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના સિનીયર નેતા લાલકૃષ્ણ અડવાણી વચ્ચે છેલ્લા કેટલાક વખતથી મતભેદ ચાલી રહ્યા હોવાનું કહેવાય છે. તેમના રાજકીય સંબંધોમાં ભલે કડવાશ પેદા થઈ હોય, પણ એક બાબતને લઈને તેમની વચ્ચે ભરપૂર મીઠાશ છે અને એ બાબત છે વાનગીઓ.
દિલ્હીમા હમણા પાર્ટીની બેઠક દરમ્યાન બન્ને નેતાઓએ સિંધી અને ગુજરાતી વાનગીઓ વિશે લાંબી ચર્ચા કરી હતી એટલુ જ નહી, તેમણે ભોજન પણ સાથે કર્યુ હતું. અડવાણી ગુજરાતી વાનગીના શોખીન છે અને ગુજરાતમાં હોય ત્યારે તેમને સરસ ગુજરાતી ડિશ પીરસાય એનુ મોદી અચુક ધ્યાન રાખે છે.
દિલ્હીમાં રાજનાથસિંહના ઘરે યોજાયેલા ભોજન સમારંભ વખતે તેમણે મોદી અને અડવાણી બન્ને ના ટેસ્ટને ધ્યાનમાં રાખીને સિંધી અને ગુજરાતી એમ બન્ને પ્રકારની વાનગીઓ રખાવી હતી. કદાચ વાનગીઓની મીઠાશ તેમના સંબંધોમા ભળે એવી રાજનાથ સિંહને આશા હશે.