Webdunia - Bharat's app for daily news and videos

Install App

અંબાજી મંદિરના સુવર્ણ શિખર પર પોણા ત્રણ કિલો સોનું અર્પણ

Webdunia
શુક્રવાર, 18 જુલાઈ 2014 (16:06 IST)
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી મંદિરના સુવર્ણ શિખર માટે ગઈ કાલે ૮૨,૧૨,૪૪૯ રૂપિયાની કિંમતનું ૨ કિલો ૭૫૦ ગ્રામ સોનું જગદંબાના ચરણે અર્પણ કરી પૂજનવિધિ કરવામાં આવી હતી.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર ઘનશ્યામ બ્રહ્યભટ્ટે કહ્યું કે SBIના સહયોગથી શરૂ થયેલી ઑનલાઇન ડોનેશન સ્કીમ હેઠળ ભારત અને વિદેશના માઈભક્તો દ્વારા મા અંબેના સુવર્ણમય શિખર માટે અત્યાર સુધીમાં ૨,૦૧,૬૧,૦૯૨ રૂપિયા ભેટ મળેલી છે. આ સ્કીમ હેઠળ ગઈ કાલે માઈભક્તો દ્વારા આવેલા દાનમાંથી લ્ગ્ત્, અંબાજી શાખાના બ્રાન્ચ મૅનેજરે ટ્રસ્ટને ૨ કિલો ૭૫૦ ગ્રામ સોનું આપ્યું હતું, જેને મંદિરમાં જગદંબાના ચરણે અર્પણ કરી પૂજનવિધિ કરવામાં આવી હતી.

અત્યાર સુધીમાં SBI મારફત રૂપિયા ૧,૪૩,૬૭,૦૯૯ની રકમનુ ૪.૮૦ કિલોગ્રામ સોનું માઈભક્તો દ્વારા મળેલી ભેટથી ટ્રસ્ટને આપવામાં આવ્યું છે.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને સુવર્ણમય શિખર યોજનામાં અત્યાર સુધીમાં કુલ ૪૦ કિલોથી વધારે સોનાનું દાન મળ્યું છે. હાલમાં અંબાજીમાં મંદિર ખાતે સુવર્ણ શિખરનું કામ ચાલી રહ્યું છે અને ૪૦ ટકા કામ પૂરુ થયું છે. હજી ૮૦થી ૧૦૦ કિલો સોનાની જરૂર છે, જેથી માઈભક્તોને ભેટ આપવા અપીલ કરવામાં આવી છે.

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

Show comments