Webdunia - Bharat's app for daily news and videos

Install App

નેનો ગુજરાત જવાથી દુ:ખી છે-લાલુ યાદવ

ભાષા
શુક્રવાર, 17 ઑક્ટોબર 2008 (12:04 IST)
રેલમંત્રી લાલુપ્રસાદે ગુરૂવારે કહ્યુ કે જો સિંગૂરની જેમ જ ગુજરાતમાં નેનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોય તો તેનું બિહારમાં સ્વાગત છે, કારણ કે રાજ્યમાં ઘણી બિનઉપજાઉ જમીન છે.

યાદવે પોતાની સોમનાથ યાત્રા દરમિયાન કહ્યુ કે અહીં સરકારે ટાટાને નેનો કાર પરિયોજના સ્થાપિત કરવા માટે કૃષિ ભૂમિ આપી છે તો બીજી બાજુ ખેડૂતો આ પગલા વિરુધ્ધ આંદોલન કરી રહ્યા છે.

તેમણે કહ્યુ કે દ્વારિકા જામનગર જિલ્લામાં આવેલ તીર્થસ્થળની નજીક ઘણી ઉજ્જડ જમીન છે. જો તેમણે દ્વારકાની નજીક ટાટાને ભૂમી આપી હોત તો તેનો અત્યાર સુધીમાં ઘણો જ વિકાસ થયો હોત, કારણ કે આ વિસ્તારનો જોઈએ એવો વિકાસ થયો નથી. લોકોને અહીં પીવા માટે પાણી પણ નથી.

લાલુએ કહ્યુ કે ગુજરાતના મુખ્યમંત્રીએ પરિયોજનાનો શ્રેય ન લેવો જોઈએ, કારણ કે અનેક રાજ્યો નેનો મટે જમીન આપવા તૈયાર છે.

ગુજરાત સરકારે આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયની 1100 એકર જમીન નેનો કાર પરિયોજનાને માટે ટાટાને આપી છે, જેથી તે આ પરિયોજના સિંગૂરથી હટાવીને સાણંદમાં લગાવી શકે.

પરિયોજના સ્થળની પાસેના ગામમાં રહેનારા ખેડૂતોનો દાવો છે કે ટાટાને જે જમીન આપવામાં આવી છે, તે બ્રિટિશ સરકારે 99 વર્ષના પટ્ટા પર લીધી હતી અને હવે તેઓ જમીનને માટે વળતર માંગી રહ્યા છે.

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments