Webdunia - Bharat's app for daily news and videos

Install App

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તે માટે પાંચસો મણ મરચાંનો હવન

Webdunia
મંગળવાર, 6 મે 2014 (12:48 IST)
ધાર્મિક વિધિ કે યજ્ઞ, હોમ-હવન જેવા કાર્યો ઘી-કપૂર જેવા પવિત્ર અને સુગંધિત દ્રવ્યો હોમીને થતી હોય છે પણ વડોદરામાં એક વિચિત્ર કહી શકાય અને અચરજ જન્માવે તેવો હવન યોજાયો હતો. મરચાંની ધૂણી આંખમાં લાગે ત્યાં માણસને આંખોમાં ગરમ લ્હાય ઝાળ બળે અને ખાંસી ખાંસીને અધમૂવો બની જાય તેવી ભારોભાર શક્યતા રહેલી હોય છે. ત્યાં વડોદરાવાસીઓએ પાંચસો મણ જેટલા મરચાં હોમીને એક વિશિષ્ટ યજ્ઞ ર્ક્યો હતો. અને મરચાંનો આ હવન યજ્ઞ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તે માટેના આશયથી થયો હોવાનું જાણવા મળ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, મોદી વડા પ્રધાનના પદે બિરાજમાન થાય તે હેતુથી ન્યૂ સમા વિસ્તારમાં આવેલા શ્રીયંત્ર મંદિરમાં આજે ખાસ મિર્ચી હવનનું આયોજન થયું હતું. છ કલાક સુધી ચાલેલા મિર્ચી હવનમાં ૫૦૦ કિલો મરચાં હવનમાં હોમાયા હતા. મંદિરના મહારાજ મંગલદત્ત દવે બાપજીના જણાવ્યા મુજબ આ યજ્ઞ ચોક્કસ ફળ આપશે અને રામાયણકાળથી આ યજ્ઞ દ્વારા મનોવાંછિત ફળ મેળવાતી હોવાની માન્યતા છે. યજ્ઞમાં ત્રીસેક લોકો સહભાગી થયા હતા. 

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

Show comments