ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ જ કોંગ્રેસને હરાવે એવો માહોલ સર્જાયો છે. ટિકિટ ન મળવાથી નારાજ બનેલા કોંગ્રેસના અગ્રણી નરહરિ અમિનના નેતૃત્વમાં અમદાવાદનાએસ. જી હઈવે પરના ફોર્મમાં અસંતુષ્ઠ નેતાઓ અને કર્યકરોનું સંમેલન યોજાયુ હતુ. જેમા મોટાભાગના અસંતુષ્ઠ અગ્રણીઓએ પ્રદેશ અને રાષ્ટ્રીય કોંગ્રેસના અગ્રણીઓની ઝાટકણી કાઢી હતી. પ્રદેશના અગ્રની નરેશ રવળે તો અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ અને શંકરસિંહ વાઘેલાના નામનો ઉલ્લેખ કરીને તેમને ચંડાળ ચોકડી હોવાનું કરીને આ નેતાઓ મુખ્યમંત્રીના ખ્વાબમાં રાચી રહ્યાનો આક્ષેપ કર્યો હતો.
નરહરિ અમીન : કોંગ્રેસ બાપ બેટા, ભાઈ-ભાઈને ટિકિટો આપી છે. કોંગ્રેસ સત્તામાં આવશે નહી. મુઠ્ઠીમાર લોકો કોંગ્રેસને ડુબાડવાનું કામ કરી રહ્યા છે. પ્રદેશના નેતાઓ ડરપોક છે. આપણે પ્રતિજ્ઞા લઈએ કોંગ્રેસને જીતાડવાનું કામ નહી કરીએ.
નરેશ રાવલ - કોંગ્રેસની ચંડાળ ચોકડીએ પક્ષની દુર્દશા કરી છે. હવે ત્રીજી આંખ ખોલવાનો સમય પાકી ગયો છે. ટિકિટ નથી મળી એમના માટે .. ઈનકા કસૂર હૈ કે યે બેકસૂર હૈ...