Webdunia - Bharat's app for daily news and videos

Install App

અંબાજીનું મુખ્ય શિખર 60 કિલો સુવર્ણ વડે જડવામાં આવશે

Webdunia
P.R
દેશની પ૧ શક્તિપીઠ પૈકીના એક એવા તીર્થધામ અંબાજી મુકામે દર્શનાર્થે આવતા યાત્રિકોની સંખ્યામાં વિક્રમજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે અંબાજી મંદિરના મુખ્ય શિખરને ૬૦ કિલો સોના વડે સુવર્ણજડિત કરવામાં આવશે.અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફથી મળેલ વિગતો માંથી ગત વર્ષે ૧.૨૫ કરોડથી વધુ યાત્રીકોએ માતાજીના દર્શન કર્યા હતા.

ઉલ્લેખનિય છે કે સમગ્ર દેશમાંથી યાત્રીકો અંબાજી દર્શનાર્થે આવે છે. યાત્રીકોની સંખ્યામાં થઈ રહેલા ભારે ધસારાને ધ્યાનમાં રાખી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરવા તેમજ તીર્થસ્થાનની સાથે પ્રવાસધામ તરીકે પણ વિકસાવવા સંગીન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

બનાસકાંઠા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન જે.બી. વોરાએ એ જણાવ્યુ હતુ કે કુલ રૂ.. ૧૬૮.૦૧ કરોડના ૧૮ જેટલા વિવિધ જેક્ટસ કાર્યરત છે. જેનાથી અંબાજી આવતા યાત્રીકોને જરૃરી સુવિધાઓ વધુ સારી રીતે આપી શકાશે અને રૂ. ૪૫.૪૫ કરોડના ખર્ચથી ગબ્બર મુકામે શ્રી એકાવન શક્તિપીઠ દર્શન પરિક્રમા પથનું કામ પૂરજોશમાં ચાલી રહ્યુ છે. પરિક્રમા પથની કામગીરી પૂર્ણ થતા અંબાજી આવતા માઈ ભક્તો ૫૧ શક્તિપીઠોના દર્શનનો લ્હાવો લઈને સંપૂર્ણ યાત્રા કરી શકશે. આ પરિક્રમા માર્ગમાં શક્તિપીઠોના મંદિર કલાત્મક સ્ટોન વર્કથી બની રહ્યા છે. જ્યારે અંબાજી મુખ્ય શિખરને ૬૦ કિલો સોના વડે સુવર્ણ જડિત કરવામાં આવશે.

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

Show comments