ભાજપા ઉપાધ્યક્ષ અને સુલ્તાનપુરથી સાંસદ વરુણ ગાંધીએ એ સમાચારોનુ જોરદાર ખંડન કર્યુ છે. જેમા તેમના અને કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીના કોંગ્રેસમાં સામેલ થવાના અટકળો ચાલી રહી છે. વરુણ ગાંધીએ કહ્યુ કે આવુ જે લોકો વિચારે છે એ તેમનુ પાગલપન છે. જેઓ અમને થોડા ઘણા પણ જાણે છે તેઓ આવુ વિચારવાની ભૂલ નહી કરે.
વરુણ ગાંધીએ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ સમાચારને લઈને કહ્યુ કે સોશિયલ મીડિયા આજકાલ બૌદ્ધિક ઉલ્ટીયો કરવાના અડ્ડાના રૂપમાં બદલાય ચુક્યુ છે તેમણે આવી કોઈ પણ વાતનું જોરદાર ખંડન કરતા કહ્યુ કે તેમના પરિવાર વિશે થોડી પણ માહિતી રાખનારા આ વાતને સમજી શકે છે કે આ ક્યારેય શક્ય નથી. તેમણે કહ્યુ કે તેઓ ભાજપામાં હતા અને હંમેશા રહેશે. તેઓ પાર્ટીના અભિન્ન અંગ છે અને આનાથી દૂર જવા વિશે વિચારી પણ શકતા નથી.