Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગરીબોની સારવારમાં બેદરકારી કરનારા ડોક્ટરોના હાથ કાપી નાખવામાં આવશે - જીતન રામ માંઝી

Webdunia
શનિવાર, 18 ઑક્ટોબર 2014 (10:58 IST)
. બિહારના મુખ્યમંત્રી જીતન રામ માંઝીએ એકવાર ફરી વિવાદિત નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે જો ડોક્ટર ગરીબોની સારવાર કરવામાં બેદરકારી બતાવશે અથવા તેમના જીવનને નુકશાન થાય એવો વ્યવ્હાર કરશે તો તેમના હાથ કાપી નાખવામાં આવશે. 
 
મુખ્યમંત્રી જીતન રામ માંઝી પ્રદેશના પૂર્વી ચમ્પારણ જીલ્લાના પકડી દયાલમાં 70 પથારીવાળા સબ ડિવિઝનલ હોસ્પિટલનુ ઉદ્દઘાટન કર્યા બાદ માંઝી લોકોને સંબોધિત કરતા આ નિવેદન આપ્યુ. માઝીએ કહ્યુ જે લોકો ગરીબોના જીવન સાથે રમત રમતા જોવા મળશે તેમને માફ કરવામાં નહી આવે. જીતન રામ માઝી તેમના હાથ કાપી નાખશે. મુખ્યમંત્રીએ કહ્યુ કે તેઓ ગરીબોના કલ્યાણ હેતુ કામ કરવા મટે કોઈપણ પરિણામ ભોગવવા તૈયાર છે. 
 
 
સાથે જ બિહારના મુખ્યમંત્રીએ કહ્યુ, લોકોને કહ્યુ છે કે તેઓ ખોટા ડોક્ટરો પાસે જતા બચે અને નિકટના સરકારી હોસ્પિટલોમાં જાય. મુખ્યમંત્રીએ કહ્યુ જો ડોક્ટર હાજર નથી, દવાઓ પણ સ્ટોકમાં નથી અને લેબોરેટરી તપાસની વ્યવસ્થા નથી તો જીલ્લાધિકારીને ફરિયાદ કરે. તેમણે કહ્યુ, જો જીલાધિકારી પણ ફરિયાદ પર કાર્યવાહી નથી કર્તા તો એક પોસ્ટકાર્ડ દ્વારા મને સૂચના આપે. ચોક્કસ પગલા લેવામાં આવશે. 
 
ડોક્ટરોના હાથ કાપવાની માંઝીની ટિપ્પણીની વિપક્ષના નેતાઓએ કડક શબ્દોમાં આલોચના કરી છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગિરિરાજ સિંહે ટિપ્પણીને ક્રુર અને સંવિધાન વિરુદ્ધ બતાવી. નવાદાથી સાંસદ સિંહે કહ્યુ, મુખ્યમંત્રી જેવા ટોચના સંવૈઘાનિક પદ પર બેસેલ વ્યક્તિ કાયદાને પોતાના હાથમા લેવાની વાત કરી રહ્યા છે. આવી માનસિકતા સાથે તેઓ કાયદાની રક્ષા કેવી રીતે કરશે ? 

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

Show comments