Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિવસેનાનો ભાજપા પર પલટવાર - "અમે નમતા નથી નમાવીએ છીએ'

Webdunia
શુક્રવાર, 31 ઑક્ટોબર 2014 (12:15 IST)
મહારાષ્ટ્રમાં નવી સરકારના શપથ ગ્રહણના પહેલા શિવસેનાએ ભાજપા વિરુદ્ધ સોશિયલ વોર છેડી દીચુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપા અધ્યક્ષ અમિત શાહે માફી માંગવાના મુદ્દે શિવસેનાએ ભાજપાને જોરદાર જવાબ આપ્યો છે. 
 
ભાજપાના વિરોધની કમાન શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેની અધ્યક્ષતાવાળા યુવા સેનાએ સાચવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ પોસ્ટમાં ભાજપાને નિશાન બનાવતા લખ્યુ છે કે અમે નમતા નથી નમાવીએ છીએ. શિવસેના સ્ટાઈલમાં આ વાક્ય ભાજપા માટે કડક સંદેશ છે. 
 
યુવા સેનાની તરફથી વાયરલ થયેલ પોસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દિવંગત બાળ ઠાકરેને નમન કરતા બતાવ્યા છે. આ તસ્વીરની સાથે લખ્યુ છે કે હમ ઝુકતે નહી હૈ ઝુકાતે હૈ. આનાથી એક દિવસ ફરી ભાજપા અને શિવસેના વચ્ચે કડવાશનુ વાતાવરણ દેખાય રહ્યુ છે.  
 
ઉલ્લેખનીય છે કે ગુરૂવારે મીડિયા રિપોર્ટમાં ભાજપાના એક વરિષ્ઠ નેતાના હવાલાથી કહેવામાં આવ્યુ હતુ કે જ્યા સુધી શિવસેના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપા અધ્યક્ષ અમિત શાહ પાસે માફી નથી માંગતી ત્યા સુધી તેમને મહારાષ્ટ્રની ભાજપા સરકારમાં લેવામાં નહી આવે. 
 
ફડનવિસને બતાવ્યા અજાતશત્રુ 
 
જો કે આના પર મહારાષ્ટ્ર ભાજપનાઅ વરિષ્ઠ નેતા સુધીર મુનગંટીવારે સફાઈ આપી હતી કે માફી માંગવા જેવી કોઈ વાત નથી. અમે મોટા દિલના છીએ. કોઈપણ પાર્ટી પાસે માફી માંગીને રાજનીતિ નથી કરવામાં આવતી. 
 
તેમ છતા યુવા સેનાએ ભાજપા વિરુદ્ધ સોશિયલ વોર શરૂ કરી દીધુ છે. આ મુદા પર મહારાષ્ટ્ર ભાજપાના નેતાઓએ યુવા સેનાના પોસ્ટ પરથી હાથ ખંખેરી લીધા છે. પ્રદેશ ભાજપા પ્રવક્તા અવધૂત વાઘે યુવા સેનાના આ હુમલાને ધ્યાનમાં લીધુ નથી. તેમણે કહ્યુકે અમે સત્તાધારી પાર્ટી છીએ અને આવી વસ્તુઓને મહત્વ આપતા નથી.  
 
શિવસેનાએ ફડનવીસને અજાતશત્રુ કહ્યા
 
એક તરફ શિવસેનાએ સોશિયલ મીડિયા પર ભાજપા વિરુદ્ધ વોર છેડી દીધુ છે તો બીજી તરફ ભાવિ મુખ્યમંત્રી દેવેન્દ ફડનવીસના ગુણગાન શરૂ કરી દીધા છે. ફડનવીસે ચૂંટણી દરમિયાન શિવસેનાને શ્વિઆજી મહારાજના નામ પર હફતા વસૂલ કરનારી પાર્ટી કહીને નિશાન સાધ્યુ હતુ. એ વાતને ભૂલીને શિવસેનાએ ફડનવીસને અજાતશત્રુ બતાવવા લાગી છે. 
 
શિવસેનાના મુખપત્રમાં ગુરૂવારે કહેવાયુ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્દ્ર મોદી અને મુખ્યમંત્રી ફડનવીસના સમીકરણથી મહારાષ્ટ્રમાં સારા દિવસો આવવામાં હવે કોઈ અવરોધ નથી.  
 
એનસીપી પાસે સમર્થન લેવા પ્રત્યે ચેતાવ્યા 
 
શિવસેનએ એનસીપી પાસેથી સમર્થન લેવા પ્રત્યે ભાજપાને ચેતાવ્યા છે. પાર્ટીએ કહ્યુ છે કે એનસીપીના રોમ રોમમાં ભ્રષ્ટાચાર છે. તેથી તેમનુ સમર્થન લેવા પર સરકારની પવિત્રતા પર સવાલ ઉઠશે. 
 
હાલ શિવસેના નવી સરકારમાં જોડાવવાના મુદ્દે અનિશ્ચિતતાની સ્થિતિમાંથી પસાર થઈ રહી છે. તેથી ભાજપાને એનસીપીથી દૂર રહેવાની વાત કરી રહી છે. શિવસેના આ સારી રીતે જાણે છે કે જો ભાજપા સરકાર બાનાવવા માટે એનસીપીનુ પરોક્ષ સમર્થન નહી  લે તો શિવસેનાનો નવી સરકારમાં સામેલ થવાનો રસ્તો સાફ થઈ જશે.  

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments