Webdunia - Bharat's app for daily news and videos

Install App

PMના સર્વે પર શત્રુધ્નએ ઉઠાવ્યો સવાલ, બોલ્યા મૂર્ખાની દુનિયામાં જીવવુ બંધ કરો

Webdunia
ગુરુવાર, 24 નવેમ્બર 2016 (12:00 IST)
નોટબંધીને લઈને ભાજપા સાંસદ શત્રુધ્ન સિન્હાએ એકવાર ફરી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. શત્રુધ્નએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ નામ લીધા વગર તેમના પર નિશાન સાધતા કહ્યુ કે નોટબંધીના સર્વે પર સવાલ ઉઠાવ્યા છે. શત્રુધ્ન સિન્હાએ ટ્વિટર પર લખ્યુ, લોકો મૂર્ખાની દુનિયામાં જીવવાનુ બંધ કરે.  લોકોને થઈ રહેલ તકલીફને સમજે.  શત્રુધ્ન સિન્હાએ કહ્યુ કે ખરાબ સમય માટે અમારી માતા-બહેનોની એકત્ર થયેલ રકમને કાળાનાણા સાથે જોડવી યોગ્ય નથી.  પીએમ મોદી દ્વારા કરાવેલ સર્વેને શત્રુધ્ન સિન્હાએ પ્લાંટેડ બતાવ્યો. તેમણે કહ્યુ કે સર્વે કેટલાક વ્યક્તિગત સ્વાર્થો માટે કરવામાં આવ્યો છે. 
 
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નમો એપ દ્વારા નોટબંધી પર લોકોને ફીડબેક આપવાનુ કહ્યુ હતુ. રિપોર્ટ્સ મુજબ 24 કલાકમાં લગભગ 5 લાખ લોકોએ એપ પર સર્વેમાં ભાગ લીધો. સર્વેમાં ભાગ લેનારા 90 ટકાથી વધુ લોકોએ બ્લેકમનીને લઈને કરવામં આવેલ સરકારના નિર્ણયને 4 પોઈંટથી વધુ રેટિંગ આપી છે. 73 ટકા લોકોએ 5 સ્ટાર રેટિંગ આપી.  લગભગ 86 ટકા લોકોએ આ વાતનુ પણ સમર્થન કર્યુ છે કે અનેક એક્ટિવિસ્ટ બ્લેકમનીના બચાવમાં કામ કરી રહ્યા છે. 

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments