Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપાને દિલ્હી ચૂંટણીમાં હારનો ભય સતાવી રહ્યો છે - અરવિંદ કેજરીવાલ

Webdunia
ગુરુવાર, 29 જાન્યુઆરી 2015 (11:34 IST)
આપ પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ ચૂંટણી આયોગ તરફથી મળેલ ફટકારથી નારાજ છે. આમ આદમી પાર્ટી ચૂંટણી પછી આયોગ વિરુદ્ધ હાઈકોર્ટના દરવાજા ખટખટાવશે. એ કહેવુ છે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર અરવિંદ કેજરીવાલનું. 
 
એક ખાનગી ટીવી સાથેની વિશેષ વાતચીતમાં કહેવામાં આવ્યુ કે બીજેપી અને કોંગ્રેસને એવુ લાગી રહ્યુ છે કે તે ચૂંટણી નહી જીતે તેથી ચૂંટણી આયોગ વિરુદ્ધ સતત તેમની ફરિયાદ કરી રહ્યા છે. 
 
તેમણે કહ્યુ કે બીજેપીના લોકો મારા પર વ્યક્તિગત ટિપ્પણી કરે છે. પણ હુ તેમને ખુલ્લા મંચ પર ચર્ચાનો પડકાર આપુ છુ. 
 
કેજરીવાલે કહ્યુ કે બીજેપી હારી રહી છે અને આ ડરથી તેમણે મારી ચૂંટણી આયોગને ફરિયાદ કરી. બીજી બાજુ કોંગ્રેસ પાસે પણ કશુ નથી. આ બધા ચૂંટ્ણી પહેલા પૈસા વહેંચશે અને વોટ ખરીદશે. અમે ચૂંટણી પછી હાઈકોર્ટમાં ચેલેંજ કરીશુ. મે કશુ જ ખોટુ નથી કર્યુ.  હકીકત એ છે કે બીજેપી અને કોંગ્રેસની રેલીમાં લોકો નથી આવી રહ્યા તેથી તેઓ આવા કામ કરી રહ્યા છે. 
 
કિરણ બેદી વિશે અરવિંદ કેજરીવાલે કહ્યુ કે હુ હજુ પણ કિરણ બેદીને પસંદ કરુ છુ. આંદોલનના સમયે દરેક પ્રકારના લોકો આવી રહ્યા હતા. ભલે જેમની કોંગ્રેસ સાથે સહાનુભૂતિ હોય કે બીજેપી સાથે. કિરણ બેદીનું બીજેપીમાં જવુ અમારે માટે ચોંકાવનારી વાત છે. અમે ગયા વર્ષે તેમને સીએમ બનાવવાની ઓફર કરી હતી. હુ કિરણ બેદીજી વિશે ક્યારેય ખરાબ નથી બોલ્યો. ખબર નહી તેમને મને કેમ અનફોલો કરી નાખ્યો. 
 
કેજરીવાલે આગળ કહ્યુ કે બીજેપીની પાસે એક જ એજંડા છે. કેજરીવાલને હરાવવાના છે. કિરણ જી કહે છે કે હુ ટોક્સિક છુ. નુપુર શર્મા કહે છે કે હુ વાંદરો છુ. પીએમ કહે છે કે હુ જંગલી છુ. આ પ્રકારની રાજનીતિ સારી નથી. મુદ્દાની રાજનીતિ કરો અને આવો મુદ્દા પર ડિબેટ કરીએ.  મે આ દેશના સૌથી વધુ પાવરફુલ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. 
 
આંદોલન કરવાની રાજનીતિ પર કેજરીવાલે કહ્યુ કે આ આપણો અધિકાર છે. મુખ્યમંત્રી હોય તો પણ ધરણા કરવી જોઈએ. જરૂર કરવી જોઈએ. જો મારા લોકો વિરુદ્ધ કશુ ખોટુ થશે અને હુ કશુ નહી કરી શકુ તો હું આંદોલન કરીશ.   

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments