Webdunia - Bharat's app for daily news and videos

Install App

પંજાબમાં આતંકી હુમલો, 9 લોકોના મોત, રેલવે ટ્રેક પર જીવતો બોમ્બ મળ્યો, ફાયરિંગ ચાલુ

Webdunia
સોમવાર, 27 જુલાઈ 2015 (10:07 IST)
પંજાબના ગુરૂદાસપુરમાં આતંકવાદી હુમલો થયો છે. ગુરદાસપુરના દીનાનગરમાં આતંકવાદીઓએ એક બસ અને પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો જ્યારપછી આતંકવાદીઓ અને પોલીસ વચ્ચે ફાયરિંગ ચાલુ છે. સ્થાનીક સૂત્રોએ જણાવ્યુ કે ફાયરિંગ હાલ ચાલુ છે અને દૂર સુધી ગોળીઓનો અવાજ સંભળાય રહ્યો છે. 
 
ન્યૂઝ એજંસી એએનઆઈ મુજબ અત્યાર સુધી આ હુમલામાં 9 લોકોના મોત થયા છે. જ્યારે કે અનેક લોકો ઘાયલ છે. 
 
ઉલ્લેખનીય છે કે ગુરદાસપુર પાકિસ્તાન સીમા સ્સાથે જોડાયેલ પંજાબનો એક જીલ્લો છે. સમાચાર મુજબ સેનાની વર્દીમાં પાકિસ્તાનથી કેટલાક આતંકવાદીઓ ઘુસી આવ્યા અને એક મારૂતિ કારમાં બેસીને દીનાપુર પહોંચ્યા. 
 
તેમણે એક બસ પર હુમલો કર્યો અને ગોળીઓ વરસાવવા લાગ્યા. ત્યારબાદ તેઓ દીનાપુર પોલીસ મથકમાં પહોંચ્યા અને ફાયરિંગ કર્યુ. આ ફાયરિંગમાં એક પોલીસનુ મોત થઈ ગયુ. 
 
આ દરમિયાન એવુ પણ જાણવા મળ્યુ છે કે દીનાનગર-પઠાણકોટ ટ્રેકથી 5 જીવતા બોમ્બ પણ જપ્ત થયા છે. 
 
આતંકી હુમલાના સમાચાર મળતા જ અધિકારી, સેના અને સરકાર બધા એક્શનમાં આવી ગયા. સેનાની એક ટુકડી ઘટનાસ્થળ પર પહોંચી ચુકી છે. પંજાબ સ્વૈટ અને એનએસજી ટીમ પણ મૂવ કરી ચુકી છે. 
 
ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ સાથે વાત કરી જેમણે તેમને ઘટનાની માહિતી અને કાર્યવાહી સાથે સંબંધિત માહિતી આપી. રાજનાથે ગૃહ સચિવ અને એનએસએને પણ આ વિશે વાત કરી છે. 

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments