Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાર્ટીમાં ચાલી રહેલી ગતિવિધિઓથી દુ:ખી છુ - કેજરીવાલ

Webdunia
મંગળવાર, 3 માર્ચ 2015 (12:08 IST)
આમ આદમી પાર્ટી(આપ)ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પાર્ટીમાં આંતરિક વિવાદની સમાચાર વચ્ચે મંગળવારે કહ્યુ કે તેઓ પાર્ટીમાં વર્તમાન દિવસોમાં ચાલી રહેલી ગતિવિધિઓથી ખૂબ દુખી છે. કેજરીવાલે ટ્વિટર પર લખ્યુ, "પાર્ટીમાં જે કઈ પણ થઈ રહ્યુ છે હુ તેનાથી ખૂબ દુખી છુ. આ દિલ્હીના લોકોએ અમારા પર વિશ્વાસ બતાવ્યો છે તેની સાથે દગાબાજી છે. એક અન્ય ટ્વીટમાં તેમણે લખ્યુ, "હુ આ ઝગડામાં નહી પડુ.. પણ દિલ્હી સરકાર ચલાવવા પર ધ્યાન આપીશ.  લોકોના વિશ્વાસને કોઈપણ પરિસ્થિતિમાં તૂટવા નહી દઉ." 
 
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી આપ માં દરાર પડવાના સમાચાર આવી રહ્યા છે. પાર્ટીના વરિષ્ઠ નેતા યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણ અનેક મુદ્દા પર કેજરીવાલ સાથે અસહમતિ બતાવી ચૂક્યા છે. તેમનો આરોપ છે કે પાર્ટી એક વ્યક્તિ વિશેષ પર કેન્દ્રિત થતી જઈ રહી છે. બીજી બાજુ કેજરીવાલ જૂથનો આરોપ છે કે આ બધુ તેમને પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક પર પરથી હટાવવાની કોશિશ હેઠળ થઈ રહ્યુ છે. 
 
પાર્ટીમા આંતરિક વિવાદના સમાચાર વચ્ચે એક અન્ય વરિષ્ઠ નેતા સંજય સિંહે સોમવારે કહ્યુ હતુ કે ચાર માર્ચના રોજ પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક થનારી છે. જેમા તેના પર ચર્ચા કરવામાં આવશે. તેમણે એ પણ કહ્યુ હતુ કે જો પાર્ટીમાં કોઈ પ્રકારની અસહમતિ છે તો તેના માટે આંતરિક રૂપે ચર્ચા થવી જોઈએ.. આ રીતે સાર્વજનિક રીતે નહી. 

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments