. યોગગુરૂ બાબા રામદેવે પીએમ નરેન્દ્ર મોદીને ચેતાવણી આપતા કહ્યુ કે જો કાળાનાણા પરત લેવામાં સુસ્તી બતાવશે તો તેઓ એકવાર ફરી રામલીલા મેદાનમાં ઉતરશે અને આખા દેશમાં આંદોલન કરશે. તેમણે કહ્યુ કે દેશે કાળા નાણા પરત લાવવા માટે જનતાને મોદી સરકારને તક આપવી જોઈએ અને મોદીએ લોકોની આશા પર ખરા ઉતરવુ જોઈએ
રામદેવે કહ્યુ કે કાળાનાણા મુદ્દે પહેલા પણ ચૂપ નહોતા અને આગળ પણ નહી રહે. જો કે રામદેવે એ પણ કહ્યુ કે દેશના લોકોને મોદી પર પુર્ણ વિશ્વાસ છે અને મને પણ તેમના પર પુરો વિશ્વાસ છે કે તેઓ બ્લેકમની દેશમાં પરત લાવશે.