Webdunia - Bharat's app for daily news and videos

Install App

રેલ ભાડુ વધારવાના મળ્યા છે સ્પષ્ટ સંકેત

Webdunia
મંગળવાર, 20 જાન્યુઆરી 2015 (13:21 IST)
હજુ રેલ બજેટ રજુ થયુ નથી અને ભાડામાં વધારો કરવાના સંકેત પહેલાથી મળવા લાગ્યા. તો પછી બજેટ રજુ થતી વખતે શુ થશે. . જેને પણ રેલભાડામાં વધારા વિશે સાંભળ્યુ હશે એ દરેકના મનમાં આ જ પ્રશ્ન  ઉઠી રહ્યો હશે.  સૂત્રોના મુજબ રેલ બજેટ રજુ થવાના એક મહિના પહેલા જ રેલ મંત્રી સુરેશ પ્રભુએ ભાડામાં વધારો કરવાના સંકેત આપી દીધા છે. 
 
લોકોને આપવી પડશે વધુ સુવિદ્યાઓ ... 
 
ભારતીય રેલમા ફોરેન ડાયરેક્ટ ઈનવેસ્ટમેંટ અને પબ્લિક-પ્રાઈવેટ પાર્ટૅનરશિપ વિષય પર આયોજીત એક રાષ્ટ્રીય સેમિનારમાં ભાગ લેવા માટે આવેલ રેલ મંત્રીએ આ માહિતી આપી કે જો રેલવેનો ઝડપથી વિકાસ કરવાનો છે તેઓ એ માટે દરેક શક્ય સ્ત્રોત તરફથી રોકાણની જરૂર પડશે. આવામા મીડિયાના એક સવાલ પર કે શુ આનો કહેવાનો મતલબ છે કે રેલવેની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે. તેમણે ફક્ત એટલો જ જવાબ આપ્યો કે રેલભાડાને વધારવામાં આવશે. રેલવે પર બોઝ દરેક રીતે સામાન્ય માણસ પર બોજ છે. કારણ કે રેલવે ડિપાર્ટમેંટ સામાન્ય લોકોનો જ છે. આ આપણી જવાબદારી છે કે આપણે તેને વ્યવસ્થિત ચલાવીએ. આ સાથે જ લોકોને વધુમાં વધુ સુવિદ્યાઓ આપવી પડશે. 
 
 
નવા સ્ત્રોતો તરફથી રોકાણ એકત્ર કરવા પર વિચાર 
 
આમ છતા તેમણે એ વાતની વિગત બિલકુલ ન આપી આપી કે જો રેલ ભાડામાં વધારો થશે તો કેટલો થશે. તેનાથી વિપરિત તેમણે રેલવેની ફાઈનેંશિયલ અને ટેકનોલોજિકલ ઈનવેસ્ટમેંટની જરૂરિયાત પર જોર આપ્યો. તેમણે કહ્યુ કે આને લઈને ફોરેન પેંશન ફંડ્સ અને બીજી સંસ્થાઓ જેવા નવા સ્ત્રોતો પાસેથી રોકાણ એકત્ર કરવા પર નવેસરથી વિચાર કરવામાં આવી રહ્યો છે.  
 
રેલવેનુ ખાનગીકરણ નહી થાય 
 
અહી બોલતા સુરેશ પ્રભુએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એ વાતનો ઉલ્લેખ પણ કર્યો કે રેલવેના ખાનગીકરણની કોઈ જરૂર નથી. પણ આવુ કરી પણ નહી શકાય. તેમણે એ વાતની માહિતી આપી કે રેલવેને હાલ ભારત સરકાર જ ચલાવશે.  તેનુ કારણ પણ તેમણે બતાવ્યુ કે નાણાકીય સંસ્થા સારુ રિટર્ન તો ઈચ્છે છે પણ ઓનરશિપ લેવા નથી માંગતી. આવી પરિસ્થિતિમાં તેના ખાનગીકરણ વિશે મંત્રાલય તરફથી કોઈ વિચાર નથી કરવામાં આવી રહ્યો.  આ સાથે જ રેલ મંત્રીએ એ પણ જણાવ્યુ કે પીપીપી અને એફડીઆઈ પર સરકારનો કોઈપણ નિર્ણય આ આધાર પર થશે કે રેલવે અને અર્થવ્યવસ્થાનો વિકાસ દરેક કિમંતે સુનિશ્ચિત થઈ શકે.  આને તેમણે રેલવેની ક્ષમતા અને ઉત્પાદકતાને વધારવા પર જોર આપ્યુ છે. આવુ એ માટે જેથી રેલવેને વધુ સુવિદ્યાજનક અને સારુ બનાવી શકાય. 

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments