Webdunia - Bharat's app for daily news and videos

Install App

યુપીએના ત્રણ મંત્રીઓએ પણ મારી મદદ કરી હતી - લલિત મોદી

Webdunia
બુધવાર, 17 જૂન 2015 (12:03 IST)
આઈપીએલના પૂર્વ પ્રમુખ અને ફેમા ઉલ્લંઘનના આરોપી લલિત મોદીએ એક ઈંટરવ્યુમાં અગાઉની યુપીએ સરકારના મંત્રીઓને પણ લપેટ્યા છે. બ્રિટનમાં ઈમિગ્રેશન દસ્તાવેજ તૈયાર કરવવામાં મદદ પ્રક્રિયામાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજનુ નામ સામે આવી ચુક્યુ છે. હવે કોંગ્રેસ નેતા રાજીવ શુક્લા,  એનસીપી અધ્યક્ષ શરદ પવાર અને પ્રફુલ્લ પટેલનુ નામ ખુદ લલિત મોદીએ લીધુ છે.  તેમણે એ પણ કહ્યુ કે કોંગ્રેસ નેતા શશિ થરુરે મંત્રી પદ એ માટે ગુમાવ્યુ કારણ કે તેઓ ખોટુ બોલ્યા હતા કે તેમની કોચ્ચિ ટીમ સાથે કોઈ લેવાદેવા નથી. 
 
મોંટેનેગ્રોમાં રજાઓ ઉજવી રહેલ લલિત મોદીએ ઈંડિયા ટુડે ટીવી ચેનલ સાથે વાત કરતા કહ્યુ કે રાજસ્થાનની મુખ્યમંત્રી વસુંધરા રાજેએ બ્રિટનમાં તેમની ઈમિગ્રેશનની અરજીને લેખિતમાં સમર્થન કર્યુ હતુ અને વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સાથે તેમના પારિવારિક સંબંધો છે. તેમણે દાવો કર્યો કે સુષમાના પતિ અને પુત્રીએ તેમને મફત કાયદાકીય સુવિદ્યાઓ આપી. લલિત મોદીએ કહ્યુ કે રાજસ્થાનમાં એ સમય વિપક્ષની નેતા વસુંધરા રાજે તેમની પત્નીના કેંસરની સારવાર માટે બે વર્ષ પહેલા તેમની સાથે પુર્તગાલ ગઈ હતી.  ઉલ્લેખનીય છે કે રાજે બીજીવાર વસુંધરા 2013માં રાજસ્થાનની મુખ્યમંત્રી બની. 
 
આ દરમિયાન રાજીવ શુક્લાએ લલિત મોદીના નિવેદન પર ટ્વીટ કર્યુ કે તેઓ છેલ્લા ત્રણ વર્ષોથી તેમને મળ્યા નથી. જ્યારે કે પવારે કહ્યુ કે તેમને પૂર્વ આઈપીએલ પ્રમુખને એ સમજાવવાનો પ્રયાસ કર્યો કે તેઓ ભારત પરત આવે અને તપાસનો સામનો કરે. પ્રફુલ્લ પટેલ તરફથી અત્યાર સુધી આ વિશે કોઈ ચોખવટ કે નિવેદન થયુ નથી. 
 
એક સવાલના જવાબમાં લલિત મોદીએ કહ્યુ કે તેઓ સુરક્ષા કારણોસર ભારતની યાત્રા નથી કરી રહ્યા. તેમણે આરોપ લગાવ્યો કે બ્રિટનમાં પ્રવાસની મંજુરી મળવા બદલ યુપીએ સરકારે જ અંડગો લગાવ્યો. પણ તેઓ પોતાની લડાઈ અંત સુધી લડશે.  તેમણે કહ્યુ કે પૂર્વવર્તી યુપીએ સરકારે આઈપીએલ ઘોટાળામાં શશિ થરુરનુ મંત્રી પદ ગયા પછી રાજનીતિક બદલાની ભાવનાથી કામ કર્યુ. લલિત મોદીએ કહ્યુ કે હુ આલીશાન જીંદગી જીવી રહ્યો છુ. અને કેમ ન જીવુ મે કશુ જ ખોટુ નથી કર્યુ. 

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments