Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદીને મળી મોટી રાહત, રમખાણો પર કેસ નહી ચાલે

Webdunia
ગુરુવાર, 26 ડિસેમ્બર 2013 (17:15 IST)
P.R
નરેન્દ્ર મોદીને ગુજરાત રમખાણો બાબતે મોટી રાહત મળી છે. એસઆઈટીની ક્લીનચિટ પર કોર્ટે પોતાની મોહર લગાવી દીધી છે. હવે તેના પર રમખાણોનો કેસ નહી ચાલે. જાકિયા જાફરીએ એસઆઈટી રિપોર્ટ પર આંગળી ચીંધી છે.

કોર્ટે જાકિયા જાફરીની અપીલ રદ્દ કરી દીધી. હવે મોદી પર ગુલબર્ગ હિંસાનો કેસ નહી ચાલે. માહિતગારો મુજબ જાફરી હવે હાઈકોર્ટમાં જઈ શકે છે. એવુ કહેવાય છે કે આનાથી મોદીની સ્થિતિ મજબૂત અને કોંગ્રેસની સ્થિતિ નબળી પડશે. ભાજપામાં મોદી વિરોધી જૂથ નબળા પડશે.

2002 ના ગુજરાત રમખાણો કેસમાં એસઆઈટીની ક્લોઝર રિપોર્ટ અને ભાજપાના પ્રધાનમંત્રી ઉમેદવાર નરેન્દ્ર મોદીને આપવામાં આવેલ ક્લીનચિટ વિરુદ્ધ જકિયા જાફરીની અરજી પર ગુરૂવારે અમદાવાદ મેટ્રોપોલિટ્ન કોર્ટ મુખ્ય નિર્ણય સંભળાવી શકેછે.

અમદવાદની મેટ્રોપોલિટન કોર્ટ સુપ્રીમ કોર્ટના આદેશ પર બનેલ એસઆઈટીની ક્લોઝર રિપોર્ટ પર પોતાનો નિર્ણય સંભળાવશે. એસઆઈટીએ મોદીને ક્લીન ચિટ આપી હતી. પણ રમખાણોમાં માર્યા ગયેલ કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરીની વિધવા જકિયા જાફરી ક્લોઝર રિપોર્ટને પડકાર આપ્યો હતો.

તેમની દલીલ છે કે મોદી અને અન્ય લોકો જેમા પોલીસ ઓફિસર અને નેતાનો સમાવેશ છે. તેમના વિરુદ્ધ કેસ ચલાવવા માટે પુરતા પુરાવા છે. આ બાબ્તે 2 ડિસેમ્બરના રોજ સુનાવણી પછી કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments