Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદીને અડવાણીની આડકતરી ટકોરઃ સ્વાતંત્ર્ય દિને કોઇની ટીકા ન કરાય

Webdunia
શુક્રવાર, 16 ઑગસ્ટ 2013 (12:35 IST)
P.R
ભુજ ખાતેથી વડા પ્રધાન મનમોહનસિંહ પર આકરા પ્રહાર કરનાર નરેન્દ્ર મોદી સામે દેખીતો કટાક્ષ કરીને ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણીએ જણાવ્યું હતું કે સ્વતંત્ર દિન જેવા પ્રસંગોએ નેતાઓએ એકબીજાની ટીકા કરવી જોઈએ નહીં.

તેમણે જણાવ્યું હતું કે મેં આજે વડા પ્રધાનને સાંભળ્યા હતા. આજે સ્વતંત્ર દિન છે. આપણે કોઈની પણ ટીકા કર્યા વગર ભાજપના ભાવિ અંગેની જે અમર્યાદિત તકો અને ક્ષમતા રહેલી છે તેનો અહેસાસ અનુભવવો જોઈએ.

ભુજમાં સ્વતંત્ર દિન પ્રસંગે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન પર આકરા પ્રહારો કર્યા પછી રાષ્ટ્રીય ધ્વજવંદન બાદ અડવાણી પોતાના નિવાસસ્થાન ખાતે બોલી રહ્યા હતા.

અડવાણી ભાજપના સંસદીય પક્ષના વડા છે. તેમણે દેશના ભાવિ અંગે આશાવાદ વ્યક્ત કર્યોે હતો.

તેમણે જણાવ્યું હતું કે ભારત પાસે તેના ભાવિ અંગે વિપુલ તકો અને ક્ષમતા રહેલી છે. વડા પ્રધાને છેલ્લા એક દશકાની વાત કરી છે. ૨૦૧૪થી આપણે નવા કદમ માંડવાના છે. તેમણે છેલ્લા એક દશકાની સિદ્ધિ અને ઊણપો અંગે જણાવ્યું છે. ૨૦૧૪થી આપણે નવા દશકાની શરૂઆત કરવાની છે જે ભારતના ઈતિહાસનો એક અસાધારણ તબક્કો હશે. આપણે શક્ય એટલી સારી કામગીરી બજાવવી જોઈએ.

અડવાણીએ પોતે હાલમાં કાળાં નાણાં અંગેનું પુસ્તક વાંચી રહ્યા છે તે અંગે વાત કરતા જણાવ્યું હતું કે આ પુસ્તકનો મુદ્દો એ છે કે મૂડીવાદ સારી બાબત છે, પરંતુ આચારસંહિતા અને નૈતિકતાને એક બાજુએ મૂકીને ભ્રષ્ટાચાર થાય તો એનાથી મૂડીવાદને બટ્ટો લાગે છે.

તેમણે જણાવ્યું હતું કે દરેકે એ રીતે કામ કરવું જોઈએ કે કોઈ તેની સામે આંગળી ન ચિંધે. ૨૧મી સદીને ભારતની બનાવવા આપણે પ્રયાસ કરવો જોઈએ, જેથી દુનિયા કહે કે આ રાષ્ટ્ર એવું છે જેની સાથે કોઈ સરખામણી કરી ન શકે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

Show comments