Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુરલી મનોહર જોશીની દુષ્કર્મ અંગેની ટિપ્પણીથી વિવાદ સર્જાયો

Webdunia
શનિવાર, 9 માર્ચ 2013 (13:30 IST)
P.R
દિલ્હી ગેંગરેપ પછી અનેક નેતાઓએ એવા નિવેદન આપ્યા જે જનતાને વિરોધાભાસી લાગ્યા. અહી સુધી કે આશારામ બાપુ જેવા સંતે પણ આ માટે મહિલાઓને દોષી ગણાવતા ભારે હંગામો મચ્યો હતો. દુષ્કર્મની ઘટનાઓ સંદર્ભે રાજકીય વર્તુળોમાંથી ઘણી વખત વિવાદાસ્પદ નિવેદનો આવ્યા છે. ખુદ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના સાંસદ પુત્ર અભિજીત મુખરજીએ કહ્યુ હતુ કે દુષ્કર્મની ઘટનાનો વિરોધ કરનાર મહિલાઓ બાર અને ડિસ્કોમાં જનારી મહિલાઓ છે. આ મહિલાઓને હકીકતની ખબર હોતી નથી પણ છતાં મિણબતી લઈને વિરોધ કરવા નીકળી પડે છે.

હવે ફરી એકવાર એક નવો વિવાદ સર્જાયો છે. ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ દુષ્કર્મ અંગે ટિપ્પણી કરીને વિવાદ સર્જ્યો છે. તેમણે દુષ્કર્મની વધતી જતી ઘટનાઓ માટે પશ્ચિમી વિચારસરણીને જવાબદાર ગણાવી છે. તેઓએ કહ્યુ હતુ કે પશ્ચતિમી દ્રષ્ટિકોણ પ્રમાણે મહિલાઓ પુરુષોને આધીન છે જે ભારતીય દર્શનથી બિલકુલ વિપરીત છે.

ભારતીય દર્શન અને પશ્ચિમી દર્શનમાં પાયાનો ફરક એ જ છે કે તેઓ સ્ત્રીને કમજોર માને છે અને આપણે સ્ત્રીને માતા માનીએ છીએ. એવામાં જે કોઈ સ્ત્રીને કમજોર માને છે તેના માટે દુષ્કર્મ કરવુ એ કોઈ મોટી વાત નથી. પરંતુ આપણે સ્ત્રીને માતા માનીએ છીએ એટલે તેની પૂજા કરીએ છીએ. મુરલી મનોહર જોશીએ આ વિવાદાસ્પદ નિવેદન એક પુસ્તકના વિમોચન પ્રસંગે આપ્યુ હતુ.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments