Webdunia - Bharat's app for daily news and videos

Install App

માયાવતી આજે ગુજરાત આવશે

Webdunia
સોમવાર, 25 જુલાઈ 2016 (12:33 IST)
ઉનાકાંડ મામલે ચાલી રહેલ રાજકારણ વચ્ચે એક બાદ એક રાજકીય નેતાઓની સમઢીયાળા ગામની મુલાકાત યથાવત છે. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, પ્રફુલ પટેલ,શરદ યાદવ, વૃંદા કરાત, તેજશ્રી પટેલ જેવા નેતાઓ સમઢિયાળા ગામની મુલાકાત લઈને પીડિત પરિવારોને મળી ચુક્યા છે ત્યારે હવે આવતીકાલે દલિત નેતા અને બસપા સુપ્રીમો એવા માયાવતી સમઢિયાળાની મુલાકાતે આવી રહ્યા છે. જેને લઈને પીડિત પરિવારોમાં પણ ભારે ઉત્સુક્તા જોવા મળી રહી છે.
 

આ અત્યાચારમાં ભોગ બનેલા દલિત યુવક રમેશ સરવૈયા, બેચર સરવૈયા, અશોક સરવૈયા અને વશરામ
સરવૈયા અત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.  જે પૈકી વશરામ સરવૈયાએ જણાવ્યુ હતું કે,   અત્યાર સુધી જે નેતાઓ આવ્યા તેમને તો અમે ઓળખતા પણ નથી પણ માયાવતી અમારા દેવી છે અને તે આવશે તો જ અમને ન્યાય મળશે. મહત્વનું છે કે માયાવતી આવતીકાલે ઉનાના સમઢિયાળા ગામે જઈને પીડિત પરિવારોને મળવાના છે.

ઉપરાંત તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને આ દુર્ઘટનાનો ભોગ બનનાર પીડિત યુવકોને પણ મળવાના છે. એટલુ જ નહીં તેઓ આ આંદોલન દરમિયાન આત્મહત્યાનો પ્રયત્ન કરનાર યુવકોને પણ મળવાના છે. માયાવતીએ ઉનામાં દલિત સભા યોજવાની પણ મંજુરી માંગી છે. જોકે અત્યારે ઉના જિલ્લામાં કલમ-૧૪૪ લાગુ હોવાના કારણે તેને સભાની મંજુરી મળે તેવી કોઈ શક્યતા દેખાઈ રહી નથી. જોકે, માયાવતીની આ મુલાકાતને લઈ રાજ્ય સરકાર પણ સક્રિય બની છે અને તે ગુજરાત મુલાકાત દરમિયાન કોને કોને મળે છે તેના પર બાજનજર રાખી રહી છે.

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

સવારે ઉઠ્યા પછી કરો આ એક કામ, તમારી આસપાસ પણ નહીં ફટકે દિલની બીમારી, હાર્ટ હંમેશા રહેશે સ્વસ્થ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments