Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભગવાન જગન્નાથને તાવ આવી રહ્યો છે, ઈલાજ ચાલુ છે

Webdunia
મંગળવાર, 19 જૂન 2012 (12:31 IST)
21 જૂને પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળનારી છે પણ ભગવાન જગન્નાથ, બલભદ્ર, સુભદ્રા અને સુદર્શન હાલમાં બીમાર છે. કસ્બેનુમા શહેરની વચ્ચે આવેલા મંદિરના દરવાજા છેલ્લા ૧પ દિવસથી બંધ છે કેમ કે અહીં વૈદ્યો ભગવાનનો ઇલાજ કરી રહ્યા છે. જેમાં ભગવાનને દશમૂલારિષ્‍ટથી બનાવાયેલી ગોળીઓ (લાડુ) અપાઇ રહી છે. આ ઉપરાંત જડીબુટ્ટીઓવાળા દુર્લભ પુલરી તેલની માલિશ પણ ભગવાનને કરાઇ રહી છે.
P.R

ચોંકી ના જશો, સાચે જ આવું થઇ રહ્યું છે. હકીકતમાં રથયાત્રા અગાઉ ૧પ દિવસ માટે ભગવાનને તાવ આવે છે. આ અંગે પંડિત ગૌરીશંકર શૃંગારીએ કહ્યું કે, વર્ષમાં એક જ વાર ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે અને તેમાં ભગવાનને ઠંડી લાગી જાય છે.

ભગવાનની જૂનની પૂનમે બીમાર થાય છે અને રથયાત્રાના થોડા સમય અગાઉ સ્વસ્થ થઇ જાય છે. ર૧ જૂને નીકળનારી રથયાત્રા અગાઉ ર૦મીએ ભગવાન દર્શન આપશે. અને જ્યાં સુધી ભગવાનનો આ ઇલાજ ચાલે છે ત્યાં સુધી દર્શન માટે ભગવાનને બદલે તેમની પ્રતિકૃતિ રાખવામાં આવે છે, જેનાં દર્શન મોટા દરવાજાના નાનાં નાનાં છિદ્રોમાંથી ૧૦ રૂપિયા ચૂકવીને કરી શકાય છે.

ઉપચાર કરનારું અલગ મંત્રાલય...

ભગવાનના ઇલાજ માટે પૂજારીઓનું અલગ જૂથ છે. તેઓ જડીબુટ્ટીઓના જાણકાર હોય છે અને જગન્નાથ મંદિરમાં એક મંત્રાલયની જેમ કામ કરે છે, તેમાં ૩૬ વિભાગ હોય છે. તમામ પંડિતોને તેમના ઇતિહાસ અને પૌરાણિક માન્યતાઓને આધારે જવાબદારી સોંપવામાં આવે છે. ખાવાનું બનાવનારા, ઉપચાર કરનારા, શણગાર કરનારા તમામ અલગ-અલગ પૂજારી હોય છે. દવા આપનારા પૂજારીને દૈત્યા કહેવાય છે અને શૃંગાર કરતા પૂજારીના નામ આગળ શૃંગારી લગાવાય છે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

વધુ જુઓ..

નવીનતમ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments