Webdunia - Bharat's app for daily news and videos

Install App

બ્લાસ્ટ બાદ શિવરાજ પર વિપક્ષનો વાર

શિવરાજનાં રાજીનામાની માંગ

ભાષા
રવિવાર, 28 સપ્ટેમ્બર 2008 (12:09 IST)
વિપક્ષી પાર્ટીઓએ શનિવારે યુપીએ સરકાર પર આતંકવાદનો સામનો કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપે ગૃહમંત્રી શિવરાજ પાટીલનાં રાજીનામાની માંગ કરી હતી. જ્યારે યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ આરોપીઓને જલ્દીથી પકડી લેવા જણાવ્યું હતું.

ભાજપનાં વરિષ્ઠ નેતા વી કે મલ્હોત્રાએ કહ્યું હતું કે વિસ્ફોટની તાજી ઘટનાએ રાષ્ટ્રીય રાજધાનીને હચમચાવી દીધી છે. દેશમાં સતત થઈ રહેલી આતંકવાદી ઘટનાઓ બાદ ગૃહમંત્રીને પોતાના પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી.

સરકારની આલોચના કરતાં ઓલ ઈન્ડીયા ફોરવર્ડ બ્લોકે કહ્યું હતું કે સરકાર આતંકવાદીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે. પાર્ટીએ કહ્યું હતું કે એક તરફ સરકાર અમેરિકાની સાથે રણનીતિજ્ઞ ભાગીદારીમાં વ્યસ્ત છે, તો બીજી બાજુ આતંકવાદી ઘટનાઓને કારણે સમગ્ર દેશ સળગી રહ્યો છે.

ભાજપનાં નેતા લાલકૃષ્ણ અડવાણીએ વિસ્ફોટ માટે કેન્દ્ર સરકારની અક્ષમતાને જવાબદાર ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે દિલ્હીમાં 15 દિવસમાં બીજી વખત બ્લાસ્ટ થવાથી સાબિત થાય છે કે આતંકવાદીઓનાં ઈરાદા અને તેમનું નેટવર્ક કેટલું મજબુત છે. તેમજ જ્યારે ગૃહમંત્રીને દિલ્હીમાં વિસ્ફોટ થશે તેવી જાણકારી આપવામાં આવે છે, તે એમ કહે છે કે આ તો થવાનું જ હતું અને થતું રહે છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments